Employees Provident Fund Organisation EPFO may shock salaried workers On March 4 can declare low interest rate on EPF central government epf subscribers
ખરાબ સમાચાર /
6 કરોડ પીએફ ધારકોને લાગી શકે છે મોટો ઝટકો, સરકાર વ્યાજદરને લઈને કરી શકે છે આ બદલાવ
EPFO કોરોના સંકટને કારણે ઈપીએફ વ્યાજદરોમાં ઘટાડો કરી 6 કરોડ સબસ્ક્રાઈબર્સને ઝટકો આપી શકે છે.
કરોડો પીએફ ધારકોને લાગી શકે છે ઝટકો
EPFO વ્યાજ દરની જાહેરાત કરી શકે છે
કોરોના સંકટને કારણે ઈપીએફ વ્યાજદરોમાં ઘટાડો કરી શકાય છે
EPFO 4 માર્ચ 2021એ નાણાકીય વર્ષ 2020-21 માટે EPF પર વ્યાજ દરની જાહેરાત કરી શકે છે. હકીકતમાં આ દિવસે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટિજ (સીબીટી)ની શ્રીનગરમાં બેઠક છે. આ બેઠકમાં ઇપીએફઓની કમાણી અને નાણાકીય પરિસ્થિતિની તપાસ કરવામાં આવશે. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજ દરની ઘોષણા કરવાના પ્રસ્તાવ પર પણ નિર્ણય લેવાઈ શકે છે. ત્યારે કોરોના સંકટને કારણે ઈપીએફ વ્યાજદરોમાં ઘટાડો કરી 6 કરોડ સબસ્ક્રાઈબર્સને ઝટકો આપી શકે છે.
બોર્ડે તાજેતરમાં જ કહ્યું હતું કે સબ્સ્ક્રાઇબર્સને 31 માર્ચ 2021ના અંત સુધીમાં બે હપ્તામાં 8.50 ટકા વ્યાજ દર ચૂકવવામાં આવશે. સબ્સ્ક્રાઇબર્સને પ્રથમ હપ્તામાં 8.15 ટકા અને બીજા હપ્તામાં 0.35 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે. ઇપીએફઓએ કહ્યું હતું કે 8.50 ટકા વ્યાજમાં 8.15 ટકા ડેટ આવક અને 0.35 ટકા ઇટીએફના વેચાણથી મળશે. ઇપીએફઓ બોર્ડના સભ્ય વૃજેશ ઉપાધ્યાયે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20ના વ્યાજના દરમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં, પરંતુ હાલની પરિસ્થિતિમાં બે હપ્તામાં ચૂકવવામાં આવશે. તેમણે કહ્યું કે હાલ કેટલાક રોકાણો પાછા ખેંચી શકાતા નથી કારણ કે બજારની સ્થિતિ ખરાબ છે.
કેમ ઘટાડવામાં આવશે વ્યાજદર
ઇપીએફઓના ટ્રસ્ટી કેઈ રઘુનાથને હાલમાં જ કહ્યું હતું કે તેમને 4 માર્ચે શ્રીનગરમાં યોજાનારી સીબીટીની બેઠક વિશે માહિતી મળી છે. બેઠકનો એજન્ડા ટૂંક સમયમાં આવવાનો છે. જોકે, તેમણે કહ્યું કે મીટિંગની સૂચનાથી સંબંધિત ઈ-મેલમાં વ્યાજના દર અંગેની ચર્ચાનો કોઈ ઉલ્લેખ નથી. આ દરમિયાન, અટકળો કરવામાં આવી રહી છે કે ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020-21 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ પરનો વ્યાજ દર 8.5 ટકા હતો. એવું માનવામાં આવે છે કે કોરોના સંકટ વચ્ચે પીએફમાંથી વધુ ઉપાડ અને ઓછા યોગદાનને કારણે વ્યાજ ઘટાડવાનો નિર્ણય લઈ શકાય છે.
2020માં 7 વર્ષનું સૌથી ઓછું વ્યાજ
નાણાકીય વર્ષ 2020માં EPF પર 8.5% વ્યાજ મળ્યું હતું, જે 7 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ છે. આ પહેલાં નાણાકીય વર્ષ 2013માં EPF પર વ્યાજ 8.5% હતું. ગયા વર્ષે માર્ચમાં EPFOએ વ્યાજ રિવાઈઝ કર્યુ હતું. આ પહેલાં નાણાકીય વર્ષ 2018-19માં EPF પર 8.65% વ્યાજ મળતું હતું. EPFOએ નાણાકીય વર્ષ 2017-18માં 8.55% વ્યાજ ચૂકવ્યું હતું, જે આ પહેલાં નાણાકીય વર્ષ 2015-16માં 8.8% હતું. અગાઉ નાણાકીય વર્ષ 2013-14 માં તે 8.75% હતું.