મહારાષ્ટ્રના લાતુર જિલ્લા પરિષદમાં પોતાના વૃદ્ધ માતા-પિતાની સારસંભાળ ન કરવાને લઇને 7 કર્મચારીઓના પગારમાં 30 ટકાનો કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે.
વૃદ્ધ માતા-પિતાની દેખભાળ ન રાખનારાઓના પગારમાં મૂકાયો કાપ
આ પગાર કર્મચારીઓના માતા-પિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયા
મહારાષ્ટ્રના લાતુર જિલ્લા પરિષદમાં જોવા મળી આ ઘટના
વૃદ્ધ માતા-પિતાની દેખભાળ ન રાખનારાઓની હવે ખેર નથી. એવું જ કંઇક મહારાષ્ટ્રના લાતુર જિલ્લા પરિષદમાં જોવા મળ્યું છે. જ્યાં પરિષદે પોતાના વૃદ્ધ માતા-પિતાની સારસંભાળ ન કરવાને લઇને 7 કર્મચારીઓના પગારમાં 30 ટકાનો કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે. પરિષદના અધ્યક્ષ રાહુલ બોંદ્રેએ શનિવારે આ માહિતી આપી.
તેમણે જણાવ્યું કે, 12 કર્મચારીઓ વિરૂદ્ધ માતા-પિતાની ઉપેક્ષા કરવાની ફરિયાદ મળી હતી, અને તેમાંથી 6 કર્મચારીઓ અધ્યાપક છે. તેમણે જણાવ્યું કે, કાપ કરવામાં આવેલ રકમ આ કર્મચારીઓના માતા-પિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા.
ગત વર્ષે નવેમ્બરમાં લાતુર જિલ્લા પરિષદની મહાસભાએ પોતાના માતા-પિતાની સારસંભાળ ન કરનારા કર્મચારીઓના પગારમાં 30 ટકા કપાત કરવાનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બોંદ્રેએ જણાવ્યું કે, દોષિ કર્મચારીઓના માસિક પગારથી કાપ ડિસેમ્બર, 2020થી શરૂ થઇ ગઇ. તેમણે કહ્યું કે, આ પ્રકારથી 30 ટકા પગાર મતલબ લગભગ 15000 રૂપિયા દર મહિને આ કર્મચારીઓના ખાતામાંથી કપાશે. તેમણે કહ્યું કે, કેટલાક મામલાઓમાં કર્મચારીઓની સાથે બેસીને સમસ્યાનો હલ કરવામાં આવ્યો.