ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, ગુજરાત હાઈકોર્ટ કહ્યું લાયકાત અને કામ મુજબ વળતર લેવા કર્મીઓ હકદાર
ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન
કર્મચારીઓ લાયકાત અને કામ મુજબ વળતર લેવાના હકદારઃ HC
કર્મચારીને પોસ્ટ નહી તેની કામગીરી જોઇ પગાર આપેઃ HC
ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને લઇ સારા સમાચાર મળી રહ્યા છે. કર્મચારીઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનું મહત્વનું અવલોકન આપ્યું છે. સુનાવણી દરમિયાન કહ્યું છે કે કર્મચારીઓ લાયકાત અને કામ મુજબ વળતર લેવાના હકદાર છે। કર્મચારીને પોસ્ટ નહી તેની કામગીરી જોઇ પગાર આપવો, કર્મચારીનો વર્ગ નક્કી કર્યા વિના લાયકાતની કદર કરવામાં આવે. મહત્વનું છે કે ટ્રીબ્યુનલ કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટએ નારાજગી દર્શાવી છે અને અગાઉના કર્મચારી વિરુદ્ધના ટ્રીબ્યુનલ કોર્ટના ચુકાદાને રદ્દ કર્યો છે. અને હાઇકોર્ટએ હક મુજબનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ટ્રીબ્યુનલ કોર્ટે કર્મચારી વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો જે બાદ તે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
બીજી તરફ ગત જુલાઇ માસમાં પણ હાઈકોર્ટ દ્વારા પાર્ટ ટાઈમ કર્મચારીને પણ કાયમી કર્મચારીને મળતા તમામ લાભો આપવાનો રાજકોટની ઔદ્યોગિક ટ્રીબ્યુનલે હુકમ કાયમી રાખ્યો હતો. કેસની વિગત પ્રમાણે અરજદાર કાયમી ન કરવા પડે નોકરીમાંથી છુટા કરવામાં આવેલ હતા. રાજકોટની મજુર અદાલતમાં સળંગ નોકરીમાં પુન:સ્થાપિત કરવા કેસ દાખલ કરેલ હતો. મજુર અદાલતે આ કર્મચારીને 40 ટકા પગાર સાથે નોકરીમાં ફરી લેવાનો હુકમ કર્યો હતો. જે બાબતે જિલ્લા પંચાયત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ અરજી કરવામાં આવી હતી. જેમાં સંળગ નોકરી ચાલુ રાખવાના ચુકાદાને કાયમી રાખવામાં આવ્યો હતો. 40 ટકા પગારનો હુકમ રદ કરવામાં આવેલ હતો. કર્મચારીને ફરીથી નોકરીએ લેવામાં આવ્યા હતા.