આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ઈન્ફોસિસમાંથી નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ 3 મહિનામાં 80000 લોકોએ નોકરી છોડી છે. જાણો વિગતવાર
આઈટી ક્ષેત્રની મુખ્ય કંપની ઈન્ફોસિસમાંથી નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો આપણે ત્રિમાસિક ગાળાના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે તેમાં જબરદસ્ત વધારો થયો છે. સામાન્ય રીતે, ટેલેન્ટેડ કર્મચારીઓને તેમની તરફ આકર્ષવા માટે IT કંપનીઓ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે.
ઇન્ફોસિસે બુધવારે જાન્યુઆરી-માર્ચ 2022 ત્રિમાસિકનાં પરિણામો જાહેર કર્યા. આમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે.આ સમય દરમિયાન 27.7% કર્મચારીઓએ કંપની છોડી દીધી છે. છેલ્લા 12 મહિનામાં સૌથી વધુ નોકરી છોડનારા લોકોની આ સૌથી વધુ ટકાવારી છે. આ સતત ત્રીજું ત્રિમાસિક પરિણામ છે જ્યારે નોકરી છોડનારનો આંકડો 20% ને વટાવી ગયો છે. આ મામલામાં કંપનીએ તેની હરીફ ટીસીએસને પણ પાછળ છોડી દીધી છે. સોમવારે TCS એ માહિતી આપી હતી કે તેમને ત્યાંથી નોકરી છોડનારા લોકોની સંખ્યા 17.4% છે.
સતત ઉંચો જઈ રહ્યો છે નોકરી છોડનારનો ગ્રાફ
આઈટી સેક્ટરમાં પણ લોકોનું કંપનીઓ બદલવાનું એક મોટું કારણ બીજી કંપની પાસેથી સારું પેકેજ મેળવવું છે. આ ઉપરાંત, માર્કેટમાં ટેલેન્ટેડ કર્મચારીઓની અછતને કારણે, કંપનીઓ પણ એકબીજાની કંપનીના કર્મચારીઓને વધુ પેકેજ પર હાયર કરે છે.
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશની બીજી સૌથી મોટી IT કંપની ઈન્ફોસિસમાંથી 25.5% લોકોએ તેમની નોકરી છોડી દીધી હતી. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બરમાં આ સંખ્યા 20.1% અને એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 13.9% હતી. તે જ સમયે, ગયા વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીના 15.2% કર્મચારીઓએ નોકરી છોડી દીધી હતી.
50 હજારથી વધારે નવી નોકરી
ઈન્ફોસિસમાંથી લોકો માત્ર નોકરી છોડીને જ જઈ રહ્યા છે, એવું નથી. કંપનીએ ફાઈનાન્સિયલ યર 2021-22માં કુલ 52,822 લોકોને નોકરી આપી હતી. માર્ચનાં અંત સુધીમાં કંપનીનાં કર્મચારીઓની કુલ સંખ્યા 2,97,859 રહી છે. કંપનીએ સૌથી વધારે 22,000 કર્મચારીઓને જાન્યુઆરી - માર્ચ ત્રિમાસિકમાં જોડ્યા છે.
આઈટી ક્ષેત્રની મુખ્ય કંપનીઓમાંની એક એવી ઈન્ફોસિસે તેના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સમય દરમિયાન કંપનીનો નફો 12% વધીને રૂ. 5,686 કરોડ થયો છે.