વિમાન કંપની એમિરેટ્સ (Emirates Airline)એ કોરોનાના સમયમાં પોતાના પેસેન્જર્સના કોન્ફિડન્સને બૂસ્ટ અપ કરવા માટે એક ખાસ સ્કીમ શરૂ કરી છે. એમિરેટ્સે જાહેરાત કરી છે કે તેઓ પોતાના પેસેન્જર્સને કોરોના મેડિકલ અને ક્વૉરન્ટાઈન ફેસિલિટી ખર્ચ આપશે. આ સુવિધા તમામ ક્લાસના યાત્રીઓ માટે હશે જે એમિરેટ્સ ફ્લાઈટ્સથી ટ્રાવેલ કરશે. દુબઈની ખાસ વિમાન કંપનીએ કહ્યું કે તે 1.50 લાખ યૂરો એટલે કે લગભગ 1.3 કરોડ રૂપિયાનો મેડિકલ ખર્ચ અને 100 યૂરો પ્રતિ દિવસ એટલે કે 8691.10 રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. ક્વૉરન્ટાઈન ખર્ચ 14 દિવસને માટેનો ગણાશે.
એમિરેટ્સને યાત્રીઓને માટે કરી આ જાહેરાત
એરલાઈન્સ પેસેન્જર્સને આપશે મેડિકલ અને ક્વૉરન્ટાઈન ખર્ચ
આ મમેડિકલ કવર 31 ઓક્ટોબર 2020 સુધી મળશે
31 દિવસ માટે મળશે કવર
આ સુવિધા એ યાત્રીઓને મલશે જેઓને એમિરેટ્સ ફ્લાઈટ્સમાં યાત્રા સમયે કોરોના સંક્રમણને વિશે ખ્યાલ આવ્યો હશે. કંપનીએ આ વિશે જાહેર કર્યું છે કે આ કવર તત્કાલ રીતે દરેક યાત્રીઓ માટે લાગૂ થશે જે આ ફ્લાઈટથી મુસાફરી કરી રહ્યા છે. 31 ઓક્ટોબર 2020 સુધી આ કવર મળશે. આ કવર માટે તેઓ યાત્રા બાદ 31 દિવસની અંદર કોરોના સંક્રમણ વાળા વ્યક્તિઓને માટે રાખશે. તેનો અર્થ એ કે જે યાત્રીઓ એમિરેટ્સથી યાત્રા કર્યા બાદ પણ આવનારા 31 દિવસમાં અન્ય કોઈ જગ્યાએ જાય છે તો તેમને આ કવરનો લાભ મળશે.
યાત્રા પહેલાં નહીં ભરવું પડે કોઈ ફોર્મ
વિમાન કંપનીના આધારે આ માટે પેસેન્જર્સે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. સાથે જ જો કોઈ યાત્રી આ કવરનો લાભ લેવા માટે બાધ્ય પણ રહેશે નહીં.
બુકિંગ પોલિસીમાં કરાયો મોટો બદલાવ
કંપનીએ કહ્યું છે કે ટ્રાવેલ સમયે કોરોના સંક્રમણનો ખ્યાલ આવ્યા બાદ યાત્રીઓએ ડેડકેટેડ હોટલાઈનથી મદદ અને કવર માટે સંપર્ક કરવાનો રહેશે. આ સિવાય અન્ય દેશને માટે બોર્ડર ખુલ્યા બાદ કંપનીએ પોતાની બુકિંગ પોલિસીમાં ફેરફાર કરવાનું જાહેર કર્યું છે. નવી પોલિસીના આધારે યાત્રીઓને બુકિંગને માટે પહેલેથી વધારે સારી સુવિધા મળી શકે અને તેઓ પોતાની સગવડના આધારે પોતાની યાત્રાનો પ્લાન કરી શકે.
જો કોઈ ગ્રાહકની ફ્લાઈટ કે ટ્રાવેલ પ્રતિબંધના કારણે બુકિંગ કેન્સલ થાય છે તો તેને ફક્ત 24 મહિના માટે તેમને ટિકિટ વેલિડ ગણી આપવામાં આવશે. તેઓ તે જ ટિકિટની મદદથી નવું બુકિંગ ગણીને યાત્રા કરી શકે છે. અત્યારે એમિરેટ્સમાં પોતાના નેટવર્કમાં 60 જગ્યાઓ માટે ફ્લાઈટ્સ છે જેમાં અમેરિકા, યુરોપ, આફ્રિકા, મીડલ ઈસ્ટ અને એશિયા પેસિફિકનો સમાવેશ થાય છે.