અભિજીત બેનર્જીએ દેવાનું EMI માફ કરવાની હિમાયત કરી છે. રાહુલ ગાંધીએ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી સાથે વાતચીત કરી હતી. બેનર્જીએ કહ્યું હતું કે સરકારે કેટલાક સમય માટે EMI ચૂકવવું જોઈએ.
દેવાના EMIને ફક્ત ટાળવાથી કોઈ ફાયદો થશે નહીં
અભિજીત બેનર્જીએ દેવાનું EMI માફ કરવાની વકીલાત કરી
સરકારે કેટલાક સમય માટે EMI ચૂકવવું જોઈએ
નોબેલથી સન્માનિત અર્થશાસ્ત્રી ડૉ. અભિજીત બેનર્જીએ કહ્યું છે કે દેવાના EMIને ફક્ત ટાળવાથી કોઈ ફાયદો થશે નહીં. તેમણે કહ્યું કે થોડા સમય માટે EMI સંપૂર્ણ માફ કરી દેવા જોઈએ અને તેની ચૂકવણી સરકારે કરવી જોઈએ.
ભારતીય મૂળના અર્થશાસ્ત્રીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં આ વાત કરી હતી. આ સંવાદ મંગળવારે કોંગ્રેસના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.
બેનર્જીએ કહ્યું, 'મને લાગે છે કે આપણે EMI ક્ષેત્ર માટે આ સરળતાથી કરી શકીએ છીએ અને તે યોગ્ય પણ રહેશે કે આપણે થોડા સમય માટે દેવું વસૂલવાનું બંધ કરી શકીએ. આપણે આના કરતાં વધુ પણ કરી શકીએ છીએ. તેમણે એમ પણ કહ્યુ કે સરકાર આ ક્વાર્ટરનું દેવું ચુકવશે. EMIને આગાળ પાછળ કરવા કરતા તેને સંપૂર્ણ માફ કરવું યોગ્ય રહેશે.
દેવું માફી કરવાની સાથે માંગમાં પણ વધારો કરો
તેમણે કહ્યું, 'માંગની અછતની સમસ્યા છે. ત્યાંરે બે ચિંતા છે, પ્રથમ નાદારીની ચેઈનને કેવી રીતે ટાળવી અને દેવું માફી એ એક માર્ગ હોઈ શકે છે. બીજી ચિંતા માંગમાં ઘટાડો છે. જેથી લોકોના હાથમાં પૈસા આપીને અર્થતંત્રનું પૈડુ ફેરવી શકાય છે. અમેરિકા મોટા પાયે આ કરી રહ્યું છે. ત્યાં રિપબ્લિકન સરકાર છે. જે કેટલાક ફાઇનાન્સરો ચલાવે છે. જો આપણે ઈચ્છીએ તો આપણે પણ આ કરી શકીએ છીએ.
અમેરિકા-યુરોપના માર્ગે ચાલો
રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે મોટાભાગના ગરીબ લોકોને નાના અને મધ્યમ ઉદ્યોગો અને વ્યવસાયોમાં કામ મળે છે - આ ઉદ્યોગો અને વ્યવસાયો રોકડ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સંકટમાં ઘણા વ્યવસાયો નાદારી નોંધાવી શકે છે. આવી સ્થિતિમાં આર્થિક ખોટનો સીધો સંબંધ આ નોકરીઓ સાથે છે કારણ કે આમાંના ઘણા વ્યવસાયો આ લોકોને નોકરી ધંધો આપે છે.
આપણે હજુ પણ જીડીપીના 1%ની જ વાત કરી રહ્યા છીએ
આના જવાબમાં ડો. બેનર્જીએ કહ્યું, 'આ જ કારણ છે કે અમારા જેવા લોકો એમ કહે છે કે પ્રોત્સાહન પેકેજો આપવા જોઈએ. અમેરિકા આ જ કરી રહ્યું છે, જાપાન - યુરોપ આ કરી રહ્યું છે. આપણે હજી સુધી તેના વિશે કંઈ નિર્ણય લીધો નથી. આપણે હજુ પણ જીડીપીના 1%ની જ વાત કરી રહ્યા છીએ. અમેરિકાએ જીડીપીના 10% જેટલું પેકેજ આપ્યું છે.
ગરીબોનું મોટો વર્ગ હજી પણ સિસ્ટમનો ભાગ નથી
અર્થશાસ્ત્રી બેનર્જીએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) ના 'આધાર' આધારિત દાવાથી ગરીબો માટે ઘણી સમસ્યાઓ હલ કરી શક્યા હોત. ગરીબોનું મોટો વર્ગ હજી પણ સિસ્ટમનો ભાગ નથી. બેનર્જીએ કહ્યું કે માંગને પુનર્જીવિત કરવી મહત્વપૂર્ણ છે, નીચા વર્ગના 60 ટકા લોકોને વધુ આપવાથી કંઈ ખોટુ નહીં થઈ જાય. ભારતને એક પ્રોત્સાહન પેકેજની જરૂર છે; આપણે હજી સુધી પૂરતું આર્થિક પેકેજ નથી આપ્યું. લોકોના હાથમાં પૈસા આપવા ઉપરાંત બેનર્જીએ હંગામી રેશનકાર્ડ બનાવવાનું સૂચન પણ કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ગરીબ અને જરૂરીયાતમંદો માટે અનાજની પૂરતી પ્રાપ્તિ થાય તે માટે કોઈ ઓળખ કર્યા વિના હંગામી રેશનકાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ. જે પણ લોકોને આવે તેને રેશનકાર્ડ આપો ગરીબો સુધી પહોંચવાની ખૂબ જ જરૂર છે.