ગાંધીનગર: હવે તમામ આકસ્મિક સેવાઓ માટે નવી હેલ્પલાઈન નંબર 112 કરોડના ખર્ચે પ્રારંભ કરવામાં આવી છે. રૂપિયા 11 કરોડની નવી જોગવાઈ સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા હેલિપેડ ગ્રાઉન્ડ પરથી આ સેવાનો શુભારંભ કરાવ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેવા સહિત અભિયમ પશુ હેલ્પલાઈન માટે આ સેવા ઉપયોગી સાબીત થશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કે નવરચિત-7 જિલ્લાઓમાં 112 હેલ્પલાઇનનો અમલ કરવામાં આવશે. જેની શરૂઆત ગત સાંજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેથી જ કરાવ્યો હતો.
આ હેલ્પલાઇનના અમલીકરણ માટે કેન્દ્રસરકાર દ્વારા ગુજરાતને રૂ.11.87 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આપને જણાવી દઇએ કે આ હેલ્પલાઇનના પ્રથમ તબક્કામાં GVK EMRIના હાલના ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને સાત જિલ્લાઓમાં આગામી તા.24 જાન્યુઆરી 2019 થી હેલ્પલાઇન નંબર-112 આધારિત ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ કાર્યરત થશે ત્યારબાદ બીજા તબક્કામાંમાં સમગ્ર રાજ્યમાં હેલ્પલાઇન 112 આધારિત ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવશે