એર ઇન્ડિયાના વિમાનમાં અચાનક ટેકનીકલ ખરાબી આવી જવાથી વિમાનને આપાત સ્થિતિમાં એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે આ ઘટનામાં કોઇ યાત્રીને તોઇ નુકસાન થયું નથી.
એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી મુંબઇ આવી રહી હતી. અચાનક 8.25 એ વિમાનના હાઇડ્રોલિક ચેમ્બરમાં ટેકનીકલ ખરાબી આવવાની જાણકારી મળી. ત્યારબાદ વિમાનને આપાત સ્થિતિમાં મુંબઇ એરપોર્ટ પર 8.36 એ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
આ બાબતે અધિકારીએ જણાવ્યું કે અમદાવાદથી આવી રહેલું વિમાન મુંબઇ થઇને મસ્કત માટે રવાના થવાનું હતું. વિમાનમાં ચાલક દળના સભ્યો સહિત 176 યાત્રી હતા. મસ્કટના યાત્રીઓને એ સમયે બીજા વિમાનથી રવાના કરવામાં આવ્યા.