વાયુસેનાનું એક વિમાન બાડમેરમાં એક રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઈમરજન્સી લેન્ડિંગનો અભ્યાસ કરશે.
વાયુસેનાનું વિમાન રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઈમરજન્સી લેન્ડિંગ કરશે
વિમાનમાં રાજનાથ સિંહ અને નિતિન ગડકરી સવાર હશે
દેશમાં આવા 12 રાષ્ટ્રીય રાજમાર્ગ તૈયાર કરવામાં આવી રહ્યા છે
વાયુસેનાનું વિમાન રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઈમરજન્સી લેન્ડિંગ કરશે
ભારતીય વાયુસેનાનું એક વિમાન આ અઠવાડિયે રાજસ્થાનના બાડમેરમાં એક રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઈમરજન્સી લેન્ડિંગનો અભ્યાસ કરશે. આ વિમાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી સવાર હશે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી.
આ અઠવાડિયે રાષ્ટ્રીય રાજમાર્ગ પર 3.5 કિલોમીટર લાંબા પટ્ટા પર ઉદ્ધાટન કરાશે
સૂત્રોના જણાવ્યાનુંસાર બન્ને મંત્રી આ અઠવાડિયે બાડમેરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર 3.5 કિલોમીટર લાંબા પટ્ટા પર ઉદ્ધાટન કરશે, કેમ કે આ વાયુસેનાના ફાયટર વિમાનો અને અન્ય વિમાનોની ઈમરજન્સી લેન્ડિંગ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ ભારતનો પહેલો રાષ્ટ્રીય રાજમાર્ગ છે જેનો ઉપયોગ ભારતીય વાયુસેનાના વિમાનોની ઈમરજન્સી લેન્ડિંગ માટે કરવામાં આવશે.
આ પહેલા વિમાનોએ લખનૌ- આગ્રા એક્સપ્રેસ પર લેન્ડિંગ અભ્યાસ કર્યો હતો
ઓક્ટોબર 2017માં વાયુસેનાના ફાયટર જેટ અને પરિવહન વિમાનોના લખનૌ- આગ્રા એક્સપ્રેસ પર લેન્ડિંગ પર અભ્યાસ કર્યો હતો જેથી એ જોઈ શકાય છે કે આવા રાજમાર્ગોનો ઉપયોગ વાયુસેના વિમાનોની ઈમરજન્સી સ્થિતિમાં ઉતારવા માટે કરી શકાય છે. લખનૌ- આગ્રા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશ સરકાર હસ્તક આવે છે. સૂત્રોના જણાવ્યાનુંસાર ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ(એનએચએઆઈ)ના અધિકારીઓએ બાડમેરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર હવાઈ પટ્ટી વિકસિત કરવા માટે વાયુસેના અધિકારીઓની સાથે સમન્વય કરી કામ કર્યું છે.
દેશમાં આવા 12 રાષ્ટ્રીય રાજમાર્ગ તૈયાર કરવામાં આવી રહ્યા છે
તેમણે કહ્યું કે બાડમેરમાં ઉપરોક્ત આ રાજમાર્ગ ઉપરાંત દેશ ભરમાં ઓછામાં ઓછા 12 રાષ્ટ્રીય રાજમાર્ગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેથી ઈમરજન્સી સ્થિતિમાં વાયુસેનાના વિમાન દ્વારા તેને હવાઈ પટ્ટીના રુપમાં તેનો ઉપયોગ કરી શકાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર 12 રાષ્ટ્રીય રાજમાર્ગોના જે ભાગમોમાં હવાઈ પટ્ટીના રુપમાં ઉપયોગ કરવામાં આવશે તેની ઓળખ કરવામાં આવી રહી છે અને તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે.