શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટની વચ્ચે રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા છે, આ ઉપરાંત રાષ્ટ્રપતિ ફરાર થતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, પરિસ્થિતિ વિકટ જણાતા ત્યાં હાલ કટોકટી જાહેર કરવામા આવી છે.
શ્રીલંકામાં સ્થિતિ કાબૂ બહાર ગઈ, જનતાનો આક્રોશ
પ્રદર્શનકારીઓએ પીએમ આવાસ પર કર્યું હલ્લાબોલ
શ્રીલંકામાં કટોકટી જાહેર થઈ, સેના તૈનાત
કોલંબોમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસી રહેલા લોકોને રોકવા માટે દિવાલ તોડીને પ્રદર્શનકારીઓને હટાવવા માટે સેનાના જવાનોએ ટિયર ગેસના ગોળા છોડ્યા હતા. આપને જણાવી દઈએ કે, શ્રીલંકાના ઈતિહાસમાં પહેલી વાર રાષ્ટ્રપતિનું પદ સમયથી પહેલા ખાલી થઈ રહ્યું છે. આ અગાઉ 1 મે 1993ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ આર. પ્રેમદાસાની હત્યાના કારણે આ પદ ખાલી થયું હતું.
શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેને દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવામાં આવ્યા છે. તેમણે દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. આ તમામની વચ્ચે કોલંબોમાં રસ્તા પર લોકો ઉતરી આવ્યા છે.
Sri Lanka declares state of emergency after President Gotabaya Rajpakasa fled the country, reports AFP citing Sri Lankan PM's office#SriLankaCrisis
બીજી બાજૂ શ્રીલંકામાં આજે સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ થવાના અણસાર મળતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેથી લોકોને પ્રદર્શન કરતા રોકી શકાય.
ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગ્યા બાદ શ્રીલંકાની જનતા ભડકી ઉઠી છે. પ્રદર્શનકારીઓએ સંસદ અને પીએમ હાઉસ પર હુરિયો બોલાવ્યો હતો. તેમના પર લાઠીચાર્જ પણ થઈ રહ્યો છે. આ તમામની વચ્ચે પીએમ રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકામાં કટોકટી જાહેર કરી છે. આદેશ આપવામાં આવ્યો છે કે, હુમલો કરી રહેલા લોકોની ધરપકડ કરવામાં આવે અને તેમના વાહનો પણ જપ્ત કરવામાં આવે.
#WATCH | Sri Lanka: Amid the deepening of the crisis in the country, protestors head towards the Sri Lankan PM's office as protest flares again on the roads of Colombo pic.twitter.com/x1MLbub2Ls
શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ સુરક્ષા ઘેરો તોડીને પીએમ હાઉસમાં ઘુસી ગયા છે. આ લોકો પીએમ રાનિલ વિક્રમસિંઘેના રાજીનામાની પણ માગ કરી રહ્યા છે. રાનિલ વિક્રમસિંઘેના નિવાસ સ્થાને પ્રદર્શનકારીઓએ પહેલા પણ આગ લગાવી હતી.