રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ છે, ઉપરાંત ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત સ્વદેશ પહોંચાડવાના ઓપરેશન ગંગામાં પણ ઝડપી કામ હાથ ધર્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે જંગ
ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા એક્ટિવ
ભારતીય દૂતાવાસે આપે આપી દીધી આ સૂચના
રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ છે, ઉપરાંત ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત સ્વદેશ પહોંચાડવાના ઓપરેશન ગંગામાં પણ ઝડપી કામ હાથ ધર્યું છે. જે અંતર્ગત હવે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક અડવાઈઝ આપી દીધી છે. જેમાં તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક ધોરણ યુક્રેનની રાજધાની કીવને ખાલી કરી દે. ભારતીય નાગરિકોએ આજના દિવસમાં કીવને ખાલી કરવું પડશે અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા આદેશ આપી દેવામાં આવ્યા છે.
રશિયાએ જે રીતે યુક્રેન પર આક્રમણ કર્યું છે, તેને લઈને યુક્રેનમાં ભારે સંકટની ઘટી આવી પડી છે. જેમાં કેટલાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાયા છે. ભારતીય નાગરિકોને સહીસલામત પાછા લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ સતત કાર્યરત છે.
ભારતીય વાયુસેના પણ ઓપરેશન ગંગામાં જોડાશે
આ જ બાબતને લઈને પીએમ મોદીએ રાષ્ટ્રપિત સાથે પણ મુલાકાત કરી હતી. જો કે, હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે, તે અંતર્ગત જોઈએ તો, પીએમ મોદીએ વાયુસેનાને પણ મોટા આદેશ આપ્યા છે. ભારતીય વાયુસેના આ ઓપરેશનમાં ભારતીયોને સહીસલામત પાછા લાવવાના કામમાં જોડાશે. જેમાં સી17 ગ્લોબમાસ્ટરથી ભારતીયોને સ્વદેશ પાછા લાવવામાં આવશે.
પીએમ મોદીએ કમાન હાથમાં લીધી
આમ તો યુક્રેનમાં કેટલાય દેશોના નાગરિકો ફસાઈ ચુક્યા છે, પણ પોતાના લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત દુનિયામાં સૌથી વધારે એક્ટિવ ઓપરેશન ચલાવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી કેબિનેટના ચાર મંત્રીઓએ મોર્ચો સંભાળ્યો છે. એર ઈંડિયાની ફ્લાઈટ યુક્રેનથી ભારતીયોને સ્વદેશ લાવવાના મિશનમાં સતત ફ્લાઈટ ઉડી રહી છે. હવે ઈંડિગો, એર ઈંડિયા એક્સપ્રેસ અને સ્પાઈસ જેટ પણ ઓપરેશન ગંગામાં શામેલ થઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને હંગેરી, રોમાનિયા અને પોલેન્ડના રસ્તેથી ફ્લાઈટ મોકલીને મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આવો જાણીએ યુક્રેન સંકટ દરમિયાન ઓપરેશન ગંગા કેવી રીતે દુનિયાનું સૌથી મોટું બચાવ અભિયાન બની ચુક્યું છે.
ચાર મંત્રી, ચાર દેશ અને હજારો ભારતીયો
મોદી સરકારે પોતાના મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, હરદીપ પુરી, કિરેન રિજિજૂ અને વીકે સિંહને યુક્રેનની પશ્ચિમી સરહદથી અડીને આવેલા દેશોમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. વોર ઝોનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે આ મહત્વની એક્શન છે, કારણ કે, એક્સપ્રટ જણાવે છે કે, આવા સમયે કોઓર્ડિનેશન એટલે કે સમન્વય સૌથી મોટી વાત છે. હકીકતમાં જ્યારે યુક્રેનમાં રશિયાએ હુમલો શરૂ કરી દીધો તો, ભારત સરકારે પોતાના નાગરિકો બહાર કાઢવા માટેના સંભવ તમામ પ્રયાસો ખંગાળવા લાગ્યું હતું. યુક્રેન અને તેના પાડોશી દેશ પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા, હંગેરી અને મોલ્ડોવાની વચ્ચેની બોર્ડર ક્રોસિંગ પર ફોકસ કર્યું છે. ત્યાર બાદ આ દેશોમાંથી ભારતીયોને એરલિફ્ટ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. ગત મહિને લગભગ 20,000 ભારતીય યુક્રેનમાં હતા, જેમાં સ્ટૂડેંટ્સ પણ શામેલ છે. સરકારે એક એડવાઈઝરી જાહેર કરવાની શરૂઆત કરી, તો 8000 ભારતીય યુક્રેનમાં ફસાઈ ગયા. MEA એ જણાવે છે કે, 1400 લોકોને ઘરે લાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, ભારત સરકાર આ ઓપરેશનનો સમગ્ર ખર્ચ પોતે ઉઠાવી રહી છે.