એલન મસ્કે ટ્વિટરના ત્રણ સર્વોચ્ચ અધિકારીઓને બહારનો રસ્તો બતાવી દીધો. જેમાં ભારતીય મૂળના બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ત્રણ અધિકારીઓને લગભગ 100 મિલિયન ડૉલર વળતર તરીકે ચૂકવવામાં આવશે.
એલન મસ્કે ટ્વિટરના ત્રણ સર્વોચ્ચ અધિકારીઓને છુટા કર્યા
ત્રણ અધિકારીઓને કરોડો રૂપિયાનુ વળતર ચૂકવવામાં આવશે
ટ્વિટરના માલિક બનતા જ એલન મસ્કે કંપનીના ત્રણ મોટા અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા. જેમાં બે અધિકારીઓ ભારતીય મૂૂળના છે. નોકરીમાંથી નિકાળવામાં આવેલા ત્રણેય અધિકારીઓને એલન મસ્ક કરોડો રૂપિયાનુ વળતર આપશે. મસ્કે સૌથી પહેલા સીઈઓ પદથી ભારતીય મૂળના પરાગ અગ્રવાલને હટાવ્યાં અને જાતે આ પોસ્ટ સંભાળી લીધી. મસ્ક હાલ ટ્વિટરના વચગાળાના સીઈઓ બની ગયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ મસ્કે પરાગ અગ્રવાલ સહિત ટ્વિટર પરથી જે ત્રણ મોટા અધિકારીઓને કાઢ્યા છે, તેમને તેઓ આશરે 100 મિલિયન ડૉલર વળતર તરીકે ચૂકવશે.
ટ્વિટરના સીઈઓ તરીકે પરાગ અગ્રવાલ 11 મહિનાનો કાર્યકાળ પૂરો કરી શક્યા. 38 વર્ષીય પરાગને ગયા વર્ષે નવેમ્બરમાં ટ્વિટરના સીઈઓ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમને કંપનીના સહ-સંસ્થાપક જેક ડોર્સીના રાજીનામા બાદ ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યાં હતા. જો કે, ટ્વિટરમાં એક કર્મચારી તરીકે તેઓ 10 વર્ષથી પણ વધુ સમયથી નોકરી કરી રહ્યાં હતા. જણાવવામાં આવે છે કે તે સમયે ટ્વિટરમાં કુલ કર્મચારીઓની સંખ્યા 1 હજારથી પણ ઓછી હતી.