એલન મસ્ક ટ્વિટરને હસ્તગત કરવાની પોતાની ડીલ રદ કર્યા બાદ કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે ભારત અને ટ્વિટર વચ્ચેના વિવાદની મને જાણકારી નહોતી.
એલન મસ્ક ટ્વિટરને લઈને વિવાદમાં
ભારત અને ટ્વિટર વચ્ચેના વિવાદની કરી ચર્ચા
ટ્વિટરે ભારત સરકારની વાત માનવી જોઈએ- મસ્ક
ટેસ્લાના સીઇઓ એલન મસ્ક ટ્વિટરને હસ્તગત કરવાની પોતાની ડીલ રદ કર્યા બાદ કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન એલન મસ્કે કહ્યું કે ટ્વિટર બોટ એકાઉન્ટની જાણકારી આપી નથી રહ્યું. આ દરમિયાન એલન મસ્કે ટ્વિટર સાથે ભારત સરકારના ચાલી રહેલા વિવાદો પર પ્રથમ વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે ભારત સરકાર સામે ચાલી રહેલા મુકદ્દમાનો ખુલાસો કર્યો નથી. ટ્વિટરે ભારતના સ્થાનિક કાયદાનું પાલન કરવું જોઈએ.
એલોન મસ્કે ભારત વિશે શું કહ્યું?
ગયા વર્ષે ભારતના આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ, માહિતીની ઓળખ અને તેનું પાલન ન કરનારી કંપનીઓ પર કાર્યવાહી કરવાની મંજૂરી આપવા માટે કેટલાક નિયમો લગાવ્યા હતા. એલન મસ્કે કહ્યું કે ભારત સરકારની વિરુદ્ધ જઈને ટ્વિટરે ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટ જોખમમાં મૂકી દીધું છે.
ટ્વિટરે આરોપને ફગાવ્યા
આ પહેલા ગુરુવારે ટ્વિટરે ડેલાવેર કોર્ટમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના એ દાવાને નકારી કાઢ્યો હતો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ખરીદીમાં મસ્કે છેતરપિંડી કરી હતી. ટ્વિટરે કોર્ટમાં કહ્યું કે, તેમની સામેના આરોપો પાયાવિહોણા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે કહ્યું કે એલન મસ્ક પાસે આ સોદા વિશે પૂરતી માહિતી છે. જો કે, એલન મસ્કે એમ પણ કહ્યું હતું કે ટ્વિટર સામેના કેસની માહિતી ભારત સરકાર દ્વારા તેમનાથી છુપાવવામાં આવી હતી.
ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે તણાવનું કારણ
બીજી તરફ ટ્વિટરે કહ્યું કે, તેમણે આઈટી એક્ટની કલમ 69એ હેઠળ ભારત સરકારના આદેશને પડકાર્યો છે, જેમાં તેમને અમુક કન્ટેન્ટ અને એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ટ્વિટરને કેટલાક નેતાઓ, કાર્યકર્તાઓ અને અન્ય લોકોની એકાઉન્ટ પોસ્ટ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.