જો હું રહસ્યમય સંજોગોમાં મરી જાઉ તો... રશિયન સ્પેસ એજન્સીનાં નિવેદનને શેર કરતા એલન મસ્કે આમ કહ્યું. જાણો વિગતવાર
એલન મસ્કે કહ્યું જો હું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ પામું તો....
રશિયન સ્પેસ એજન્સીનું નિવેદન પણ કર્યું શેર
ટ્વીટ યુક્રેન જંગ સાથે જોડાયેલ હોય તેવી અટકળો
એલન મસ્કે કહ્યું જો હું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ પામું તો....
દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક મોટેભાગે ચર્ચામાં બન્યા રહે છે. તેઓ અવારનવાર એવું કોઈ ટ્વીટ કરે છે, જે સોશિયલ મીડિયા પર બબાલ મચાવી દે છે. આ વખતે પણ મસ્કે કંઈક આવું જ કર્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે જો હું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત્યુ પામું તો.... આમ તો તેમણે કંઈપણ સ્પષ્ટ રૂપથી લખ્યું નથી, પરંતુ આ ટ્વીટએ સોશિયલ મીડિયા પર બબાલ મચાવી છે.
આ ટ્વીટ બાદ એલન મસ્કનાં ચાહકો પણ ઘણા પ્રકારના ટ્વીટ કરી રહ્યા છે. ઘણા લોકો તો આમ ન વિચારવાની સલાહ આપી રહ્યા છે તો અમુક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. જોકે તેમનું આ ટ્વીટ ઘણું બધું કહી જાય છે. મસ્કે આ ટ્વીટ પહેલા પણ રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસનાં ચીફ દિમિત્રી ઓલેગોચિવ રોગોજિન વિષે પણ ટ્વીટ કર્યું હતું.
If I die under mysterious circumstances, it’s been nice knowin ya
શું યુક્રેન સાથે જોડાયેલ છે મસ્કનું ટ્વીટ ?
એલન મસ્કે સ્પષ્ટ રીતે કંઈપણ લખ્યું નથી, પણ તેમના ટ્વીટ્સની શ્રેણીને જોવામાં આવે, તો ઘણું બધું જોડી શકાય છે. મસ્કે આ ટ્વીટ્સ પહેલા એક બીજું ટ્વીટ શેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસનાં ચીફે મીડિયાને જણાવ્યું છે કે 36મી યુક્રેની મરીડ બ્રિગેડનાં પકડાયેલા કર્નલ સીમીત્રી કોર્મ્યાનકોવની જુબાનીથી એ જાણવા મળ્યું કે મસ્કની સેટેલાઈટ મેરિયૂપોલમાં યુક્રેની સૈનિકોને ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરતી હતી. આ નિવેદનમાં યુંક્રેનિયા સૈનિકોને સંચાર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મસ્ક પર હુમલો કરવામાં આવ્યો છે.
શું છે રોગોજિનનું નિવેદન?
રિપોર્ટ્સ અનુસાર, રશિયન સ્પેસ એજન્સીનાં ચીફ રોગોજિને કથિત રૂપે રશિયન મીડિયાને જણાવ્યું કે એલન મસ્કની સ્ટારલિંક કંપનીનાં ઇન્ટરનેટ ટર્મિનલોને મેરિયૂપોલમાં નાજી અજોવ બટાલિયન અને યુક્રેની મરીનનાં ઉગ્રવાદીઓ સુધી હેલીકોપ્ટરથી પહોંચાડાયા હતા. તેમણે કહ્યું કે અમારી જાણકારી અનુસાર, સ્ટારલિંક ઉપકરણોની ડિલીવરી પેન્ટાગનની મદદમાં માધ્યમથી થઇ. મસ્કે આ નિવેદનને ટ્વીટર પર શેર કરતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પણ નિશાનો સાધ્યો. તેમણે સ્પષ્ટ રીતે પુતિનનું નામ તો ન લીધું, પણ કહ્યું કે તે નાઝીની જે પરિભાષા જાણે છે, તે એવી નથી.