શનિવારે પુનાનાં લોહેગામ ઇલાકામાં એક ઓલા એસ1 પ્રો ઈલેક્ટ્રોનિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘાટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ઓલા એસ1 પ્રોમાં લાગી આગ
શું છે આમ થવાનું કારણ?
કંપનીએ કરી ઘટનાની પુષ્ટિ
ઓલા એસ1 પ્રોમાં લાગી આગ
ગયા થોડા સમયથી ભારતમાં ઈલેક્ટ્રોનિક વેહીકલ્સની ડિમાંડ ઝડપથી વધવા લાગી છે. લોકોની આ ડિમાંડને ધ્યાનમાં રાખતા ઘણી કંપનીઓએ વેહીકલ્સ લોન્ચ કર્યા છે પરંતુ આ વેહીકલ્સ સાથે તકનીકી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. શનિવારે પુનાનાં લોહેગામ ઇલાકામાં એક ઓલા એસ1 પ્રો ઈલેક્ટ્રોનિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘાટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
31 સેકન્ડની આ ક્લિપમાં સ્કૂટર ધૂ - ધૂ કરીને ચાલી રહ્યું છે. સ્કૂટર આગની લપેટમાં છે. આ સ્કૂટરનાં ઘણા ભાગો આગને કારણે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. લોકો આ ઘટનાનો વીડિયો લેતા પણ જોવા મળે છે.
શું છે આમ બનવાનું કારણ?
જોકે કંપની આગનાં કારણોની તપાસ કરી રહી છે પરંતુ આમ બનવાનું એક કારણ 'થર્મલ રનવે' હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જેમાં લિથિયમ - આયન બેટરી ક્ષતિગ્રસ્ત થવા કે શોર્ટ - સર્કિટથી એકસોથર્મિક રિએક્શન થાય છે.
કંપનીએ કરી ઘટનાની પુષ્ટિ
ઓલાએ આગ લાગવાની આ ઘટનાની પુષ્ટિ કરી છે. કંપનીએ કહ્યું છે કે તેને પુનામાં ઓલા એસ1 પ્રોમાં આગ લાગવાની જાણકારી છે અને આગના કારણોની તપાસ ચાલી રહી છે. ઓલાએ એ પણ દાવો કર્યો છે કે ગ્રાહકો સુરક્ષિત છે.
હાલમાં વળતરની વાત નહી
જ્યાં સુધી આગની ઘટનાનો સવાલ છે, ઓલાએ આગળ કહ્યું એ તેઓ આવનાર દિવસોમાં અપડેટ શેર કરીને યોગ્ય કાર્યવાહી કરશે. ઓલાએ ઓફિશિયલિ ખરીદદારને કોઈપણ પ્રકારનું વળતર ઉપલબ્ધ કરાવવા વિષે વાત કરી નથી. ઓલાનાં સહ-સંસ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે આ વિષે કોઈ જવાબ આપ્યો નથી.