એક તરફ 16મી જાન્યુઆરીથી રાજ્યમાં કોરોનાની રસીકરણનો પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વીજ કર્મીઓએ 16મીથી હડતાળનું એલાન કર્યુ છે.
વડોદરામાં 16 જાન્યુઆરીથી વીજ કર્મીઓનું આંદોલન
પગાર વધારા સહિતની માંગોને લઇ આંદોલન
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના બેનર હેઠળ આંદોલન
વડોદરામાં આગામી 16 જાન્યુઆરીથી વીજ કર્મચારીઓ આંદોલન કરવા જઇ રહ્યાં છે.
પગાર વધારા સહિતની માંગોને લઇ આંદોલન કરશે. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના બેનર હેઠળ આંદોલન કરવાના છે. અત્યાર સુધીમાં 40 હજાર વીજ કર્મીઓએ સીએલ મુકી છે. 16 જાન્યુઆરીના કર્મચારીઓ કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરશે. અને 21 જાન્યુઆરીના માસ સીએલ પર કર્મચારીઓ ઉતરશે.
ગુજરાતમાં 16મી જાન્યુઆરીથી થશે રસીકરણ
1.20 હજાર અમદાવાદને ફાળવવામાં આવ્યા છે જે અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ ખાતે રાખવામાં આવશે. જેમાંથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં 16મી જાન્યુઆરીએ રસીકરણ કરવામાં આવશે. 60 હજાર ડોઝ ભાવનગર મોકલી આપવામાં આવ્યા છે. જેમાંથી ભાવનગર શહેર, જિલ્લો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ જથ્થામાંથી કોરોના વેક્સિન આપવામાં આવશે.
બીજા તબક્કાનો 2,65 લાખ ડોઝનો જથ્થો કાલે આવશે
બીજો જથ્થો પૂનાથી બાય રોડ આવશે. આવતીકાલે બાય રોડ રાજ્યમાં વેક્સિને આવશે જેમાં 93500 વેક્સિન સુરત પહોંચશે. વડોદરા ખાતે 94500 કોલ્ડચેન દ્વારા વડોદરા પહોંચશે અને રાજકોટ ખાતે 77000 ડોઝ પહોંચતા કરવામાં આવશે.
4.33 લાખ સરકારી તબિબિ સ્ટાફને આપવામાં આવશે. 287 સેન્ટર પર રસીકરણની શરૂઆત કરવામાં આવશે. PM મોદી 16મી જાન્યુઆરીએ અમદાવાદ, સિવિલ રાજકોટ સિવિલના સ્ટાફ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે.
શું છે અમદાવાદની તૈયારીઓ
અમદાવાદ સિવિલમાં કોરોના વેક્સિન સ્ટોરેજ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલથી જિલ્લામાં વેક્સિનનુ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. AMC, ખેડા, આણંદ, અમદાવાદ જિલ્લામાં વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે. AMCને 61 હજાર 500 વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરાશે જ્યારે અમદાવાદ ગ્રામ્યને 8 હજાર વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે. આણંદને 18 હજાર વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરાશે. સુરેન્દ્રનગરને 9 હજાર 500 વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે.