દ્વારકાના જામખંભાળિયાના કેશોદ પાસે હાઇવે પર વીજ વાયર તુટ્યો હતો. જોકે, સદનસીબે વાહન કોઈ પસાર થતું ન હોવાથી દુર્ઘટના સહેજ માટે ટળી હતી. લોકોએ પથ્થર રાખી સાવચેતી બતાવી હતી. જેને લઈને દુર્ઘટના ટળી હતી. તો સમગ્ર મામલે PGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્ર દ્ધારા જોખમી વાયરો હટાવાની કામગીરી કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.