ચૂંટણી પંચે કહ્યું કે 57 સીટો પર ચૂંટણી માટે નોટિફિકેશન 24 મેના રોજ જાહેર કરવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 31 મે હશે. ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ 1 જૂન રહેશે અને 3જૂન ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હશે.
57 બેઠકોમાં કયા રાજ્યની કેટલી બેઠક
57 બેઠકોમાં સૌથી વધુ 11 સીટો ઉત્તર પ્રદેશથી ખાલી થઈ રહી છે. આ સાથે મહારાષ્ટ્રની 6, આંધ્રપ્રદેશની 4 સીટ, તેલંગાણાની 2 સીટ, છત્તીસગઢની 2 સીટ, મધ્ય પ્રદેશની 3 સીટ, તમિલનાડુની 6, કર્ણાટકની 4 સીટ, ઓડિશાની 3, પંજાબની 2, રાજસ્થાનની 4, ઉત્તરાખંડની 1, બિહારની 5, ઝારખંડની 2, હરિયાણાની 2 સીટ પર મતદાન થશે.
આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સૌથી મોટો ફાયદો
આ વખતની ચૂંટણીમાં કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને સૌથી મોટો ફાયદો થવાનો છે. પંજાબ વિધાનસભામાં મળેલી શાનદાર જીત બાદ રાજ્યસભામાં આદમી પાર્ટના સાંસદોની સંખ્યા વધી જવાની છે. હાલમાં દિલ્હી તરફથી આમ આદમી પાર્ટીના ચાર સાંસદો છે અને હવે પંજાબમાંથી પાર્ટીના 5-6 સાંસદો રાજ્યસભામાં જશે.
કઈ પાર્ટીની ખાતામાં કેટલી બેઠક આવશે
કુલ 57 બેઠકોમાંથી ભાજપને સૌથી વધારે 23 અને કોંગ્રેસને આઠ બેઠક મળશે. બાકીની ભાજપ અને બીજા પક્ષો વચ્ચે વહેંચાઈ જશે. આ વખતની ચૂંટણીમાં તમિલનાડુની શાસક પાર્ટી ડીએમકે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સંખ્યા વધી જશે.
હાલમાં 95 સાંસદો સાથે ભાજપ રાજ્યસભામાં ટોચની પાર્ટી, 10 જુન પછી આંકડો 100 થઈ શકે
હાલમાં રાજ્યસભામાં ભાજપ 95 સાંસદોની સંખ્યા ધરાવે છે જે બીજી બધી પાર્ટીઓ કરતા વધારે છે. 10 જુનની ચૂંટણી બાદ ભાજપની સંખ્યા વધીને 100ને પાર પહોંચી શકે છે. તાજેતરમાં ચાર રાજ્યોમાં મળેલી જીતને કારણે રાજ્યસભામાં ભાજપની સંખ્યા 95થી વધીને 100 થઈ જશે તે નક્કી છે. કોંગ્રેસને એક પણ રાજ્યમાં જીત ન મળી હોવાથી તેની સભ્યસંખ્યા ઘટી જશે, તો દિલ્હી-પંજાબની આમ આદમી પાર્ટી અને તમિલનાડુની ડીએમેકે આ વખતની ચૂંટણીમાં મોટા ફાયદામાં રહેવાની છે.
નિર્મલા સીતારામણ, પીયુષ ગોયલ અને મુખ્તાર નકવી ફરી ચૂંટાશે
નાણા મંત્રી નિર્મલા સીતારામણ, કોમર્સ મિનિસ્ટર પીયુષ ગોયલ, લઘુમતી બાબતોના મંત્રી નકવી સહિતના ઘણા કેન્દ્રીય મંત્રીઓની ટર્મ પૂરી થઈ રહી છે અને તેઓ ફરી વાર રાજ્યસભામાં ચૂંટાશે. ગયા મહિને, દ્વિવાર્ષિક ચૂંટણીને પગલે ભાજપ રાજ્યસભામાં 100નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો અને 1990 પછી આવું કરનાર પહેલી પાર્ટી બની છે. કોંગ્રેસના આ નેતાઓની ટર્મ પૂરી
પી ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, જયરામ રમેશ અને અંબિકા સોની જેવા કોંગ્રેસના ઘણા દિગ્ગજોનો કાર્યકાળ પણ સમાપ્ત થવાનો છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મહત્વની છે રાજ્યસભાની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી ઘણી મહત્વની માનવામાં આવે છે, કારણ કે કેન્દ્રમાં સત્તા પર રહેલ ભાજપ હાલ 95 સીટો સાથે ઉપલા સદનમાં સૌથી ઉપર છે અને ચૂંટણી બાદ તે ફરીથી 100નો આંકડો પાર કરી શકે છે.