લોકસભા ચૂંટણીના પરીણામ પહેલા આવેલા એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળવાના અનુમાન અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યક્તાઓને વિશ્વાસ રાખવા જણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 'નકલી એક્ઝિટ પોલ' થી નિરાશ થશો નહીં અને સાવચેત રહો. એમણે કહ્યું કે કોંગ્રેસના લોકોએ પોતાની જાત પર અને પાર્ટી પર વિશ્વાસ રાખવો. કેમકે તેમની મહેનત બેકાર નહીં જાય.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું, 'કોંગ્રસ પાર્ટીના પ્રિય કાર્યકર્તાઓ, આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે. સાવચેત રહેજો, ડરવું નહી, આપ સત્ય માટે લડી રહ્યા છે. બનાવટી એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ થશો નહીં. પોતાના પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, આપની મહેનત બેકાર નહીં જાય. જય હિન્દ'.
આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું હતું કે અફવાઓ અને એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપવું, અને સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર ધ્યાન આપવું. કાર્યકર્તાઓને એક ઓડિયો સંદેશમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, 'તમે અફવાઓ અને એક્ઝિટ પોલથી હિમ્મત ન હારશો. આ અફવાઓ તમારી હિમંત તોડવા માટે ફેલાવામાં આવી રહી છે. આ વચ્ચે આપની સાવધાની વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સ્ટ્રોંગ રુમ અને મતગણતરી કેન્દ્રો પર સાવચેત રહેવું'.
कांग्रेस पार्टी के प्रिय कार्यकर्ताओं ,
अगले 24 घंटे महत्वपूर्ण हैं। सतर्क और चौकन्ना रहें। डरे नहीं। आप सत्य के लिए लड़ रहे हैं । फर्जी एग्जिट पोल के दुष्प्रचार से निराश न हो। खुद पर और कांग्रेस पार्टी पर विश्वास रखें, आपकी मेहनत बेकार नहीं जाएगी।
એમણે કહ્યું હતું કે,' અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી અને તમારી મહેનતનું ફળ મળશે. ' આપને જણાવીએ કે 19 મે આવેલા લગભગ તમામ પ્રમુખ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળતી બતાવાઇ છે.
એક્ઝિટ પોલમાં કોંગ્રેસને આશા પ્રમાણે સીટ ન મળવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જોકે જાણકારોનું કહેવું છે કે પાર્ટી જો 100 આકંડો પણ પાર કરે છે તો એ પાર્ટી અને રાહુલ ગાંધી માટે થોડી સહજ સ્થિતિ બની શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં તળીએ પહોંચ્યા બાદ આ વખતે સીટોની સદી નોંધાવી કોંગ્રેસ માટે નિશ્ચિતપણે પડકાર જનક બની રહેશે. બીજી તરફ માત્ર દોઢ વર્ષ પહેલા પાર્ટીની કમાન સંભાળનારા રાહુલ ગાંધીના નેતૃત્વની પણ પરીક્ષા છે. જોકે પાર્ટીનું માનવું છે કે કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઘણું સારું પ્રદર્શન કરી રહી છે.