જમ્મૂ અને કાશ્મીરમાં આવનારા વર્ષે ચૂંટણી થઈ શકે છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ગુરુવારની મીટિંગમાં ચૂંટણી અને સીમાંકન મુદ્દા મુખ્ય રહ્યા હતા.
જમ્મૂ કાશ્મીરમાં માર્ચ 2022 પહેલા યોજાઈ શકે છે ચૂંટણી
સીમાંકન બાદ વધી શકે છે 7 બેઠકો
ગુરુવારની મીટિંગમાં ચૂંટણી અને સીમાંકન મુદ્દા મુખ્ય રહ્યા હતા
જમ્મૂ અને કાશ્મીરના મુદ્દા પર પીએમ મોદી દ્વારા આહૂત સર્વદળીય બેઠક બોલાવ્યા બાદ ચૂંટણીની તૈયારીઓની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકતાંત્રિક પ્રક્રિયા શરૂ કરવા માટે ચૂંટણી કરાવી શકે છે. આ માટે સીમાંકન જલ્દી પૂરું કરવાનું રહેશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર આ વર્ષે ડિસેમ્બરથી આવનારા માર્ચ 2022 સુધીમાં ચૂંટણી યોજાઈ શકે છે. આ સમયે યૂપી, પંજાબ, ઉત્તરાખંડના રાજ્યોમાં પણ ચૂંટણી થશે. આ ક્રમમાં સરકાર ઈચ્છે છે તે જલ્દી સીમાંકનનું કામ પૂરું કરી લેવાય.
Our democracy’s biggest strength is the ability to sit across a table and exchange views. I told the leaders of J&K that it is the people, specially the youth who have to provide political leadership to J&K, and ensure their aspirations are duly fulfilled: PM Narendra Modi pic.twitter.com/eTTdq31tIt
શું કહ્યું બેઠકમાં પીએમ મોદીએ
ગુરુવારે 14 નેતાઓ સાથે 3 કલાક ચાલેલી બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં ચાલી રહેલી સીમાંકનની પ્રક્રિયાને ઝડપથી પૂરી કરવાની રહેશે જેથી અહીં વિધાનસભાની ચૂંટણી કરી શકાય, એક નિર્વાચિત સરકાર બની શકે જે પ્રદેસના વિકાસને મજબૂત કરે. પીએમ મોદીએ બેઠકમાં સામેલ નેતાઓને કાશ્મીરમાં થયેલા દરેક મોતની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું પછી તે નાગરિકો હોય કે કાશ્મીરી યુવાનો જેણે બંદૂક ઉઠાવી અને સુરક્ષા બળના કોઈ સભ્યો હોય.
ચૂંટણીને લઈને પીએમ મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ કહ્યું કે વિચાર વિમર્શ એક વિકસિત અને પ્રગતિશિલ જમ્મૂ કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વનું પગલું છે. સર્વાંગી વિકાસને આગળ વધારવા કહેવાયું છે. તેઓએ કહ્યું કે અમારી પ્રાથમિકતા જમ્મૂ કાશ્મીરમાં જમીન સ્તર પર લોકતંત્રને મજબૂત કરવાની છે. સીમાંકન ઝડપથી થતાં અહીં ચૂંટણી થઈ શકશે અને જમ્મૂ કાશ્મીરને એક નિર્વાચિત સરકાર મળશે જેનાથી જમ્મૂ કાશ્મીરના વિકાસને મજબૂતી મળશે.
Today’s meeting with political leaders from Jammu and Kashmir is an important step in the ongoing efforts towards a developed and progressive J&K, where all-round growth is furthered: PM Narendra Modi pic.twitter.com/5RV74TTzRX
કોને અપાઈ છે સીમાંકનની જવાબદારી
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ રિટાયર્ડ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતા વાળી પેનલને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સીમાંકનની જવાબદારી મળી છે. સરકારે ઓગસ્ટ 2019માં પૂર્વવર્તી જમ્મૂ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો હતો અને પુનગઠનની જાહેરાત કરી હતી આ પછી કેન્દ્રશાસિત પ્રદેશ 2019માં અસ્તિત્વમાં આવ્યો. સીમાંકન બાદ જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા સીટની સંખ્યા 83થી વધીને 90 થશે.
2019માં બનેલા 370ના અનેક પ્રાવધાન અને આર્ટિકલ 35એને રદ્ કર્યા બાદ રાજ્યના 3 પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સહિત અનેક રાજનેતાને હિરાસતમાં લાવાય હતા. સંસદમાં જમ્મૂ કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કરાયું તો ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે જમ્મૂ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો સમય પર મળી જાય તે જરૂરી છે. જમ્મૂ કાશ્મીરમાં 2018થી રાષ્ટ્રપતિ શાસન કાગૂ છે. ફારૂક અબ્દુલ્લાને 67 સીટ મળી હતી અને ગુપરરને 280માંથી 110 સીટ મળી હતી.