ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઇને અગત્યની જાહેરાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે વર્ષના અંતમાં ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ડિસેમ્બરમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી યોજાશે.
અત્રે નોંધનીય છે કે, ભાજપના દિગ્ગજ નેતા અમિત તાજેતરમાં ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી તરીકેની તેમણે કમાન સંભાળી હતી. તેમની કાર્યભારમાં વધારો થયો હોવાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે કોના નામની પસંદગી કરવી તે અંગે છેલ્લા કેટલાક સમયગાળાથી ચર્ચા ચાલી રહી હતી અને અંતે ગત જૂન મહિનામાં ભાજપના પીઢ નેતા જે.પી નડ્ડાની પક્ષના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
નવા અધ્યક્ષને લઇ ચર્ચાએ પકડ્યું જોર
આપને જણાવીએ કે દેશભરમાં પચાસ ટકાથી વધારે રાજ્યોમાં ચૂંટણી સંપન્ન થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઇ શકે છે. આ પહેલા સપ્ટેમ્બર 2018માં બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લોકસભા ચૂંટણી જોતા બીજેપીએ અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ 6 મહીના માટે વધારી નાંખ્યો હતો. હવે જ્યારે ચૂંટણીમાં જીત મળી છે અને અમિત શાહ ગૃહ મંત્રી બની ગયા છે તો નવા અધ્યક્ષને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે.