31 માર્ચે રાજ્યસભાની 13 બેઠકોની ચૂંટણી યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી દીધી છે.
13 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી પંચની મોટી જાહેરાત
31 માર્ચે યોજાશે 13 રાજ્યસભાની બેઠકોની ચૂંટણી
પંજાબથી 5, કેરળથી 3, આસામથી 2 અને હિમાચલ અને નાગાલેન્ડથી 1-1 બેઠકની થશે ચૂંટણી
ચૂંટણી પંચે સોમવારે આ જાહેરાત કરતા કહ્યું હતું કે 31 માર્ચે 13 રાજ્યસભાની બેટકો માટે ચૂંટણી કરાવવામાં આવશે. ચૂંટણી પંચે સોમવારે એક નોટેફિકેશન બહાર પાડીને 13 બેઠકોની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. કોંગ્રેસના 3 સહિત રાજ્યસભાના 13 સાંસદો રિટાયર થઈ રહ્યાં છે.
13 બેઠકોમાં કયા રાજ્યમાં કેટલી બેઠકો
13 બેઠકોમાં પંજાબની 5, કેરળની 3, આસામથી 2 અને હિમાચલ અને નાગાલેન્ડથી 1-1 બેઠક સામેલ છે. આ તમામ બેઠકોની ચૂંટણી 31 માર્ચે થશે.
એકે એન્ટની, આનંદ શર્મા થઈ રહ્યાં છે રિટાયર
ચાલુ મહિનામાં એકે એન્ટની, આનંદ શર્મા અને પ્રતાપ સિંહ બાજવા સહિતના કેટલાક નેતાઓ રિટાયર થઈ રહ્યાં છે.
6 રાજ્યોમાંથી ચૂંટાશે 13 રાજ્યસભા સાંસદ
ઉલ્લેખનીય છે કે 31 માર્ચે 6 રાજ્યમાંથી રાજ્યસભાના 13 સાંસદો ચૂંટાશે.
રિટાયર થઈ રહેલા 13 સાંસદોના નામ
રાની નરાહ, રુપિન બોરા, આનંદ શર્મા, એકે એન્ટની, એમ.વી.શ્રેયસ કુમાર, સોમપ્રસાદ કે, કેજી કેનઈ, ઝરણા દાસ, સુખદેવ સિંહ, પ્રતાપ સિંહ બાજવા, નરેશ ગુજરાલ, શમશેર સિંહનો સમાવેશ થાય છે.