લોકસભા ચૂંટણી 2019 દરમિયાન 647 પેડ ન્યૂઝના મામલા સામે આવ્યા હતા. જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી 909 પોસ્ટ હટાવવામાં આવી છે. આમ કહેવું છે ચૂંટણી પંચનું. સાત ચરણમાં થયેલ લોકસભા ચૂંટણીના અંતિમ ચરણના મતદાન રવિવારે પૂર્ણ થયું. હવે 23 મે ચૂંટણી પરિણામ આવશે.
ચૂંટણી પંચ અનુસાર, પેડ ન્યૂઝના કેટલાક મામલામાંથી 57 સાતમાં ચરણના મતદાન દરમિયાન જોવા મળ્યા છે. જ્યારે છઠ્ઠા ચરણમાં એક, પાચંમાં ચરણમાં 8, ચોથા ચરણમાં 136, ત્રીજા ચરણમાં 52, બીજા ચરણમાં 51 અને સૌથી વધારે 342 મામલા પહેલા ચરણમાં જોવા મળ્યા છે.
ચૂંટણી પંચે જણાવ્યું કે લોકસભા ચૂંટણી 2014 દરમિયાન પેડ ન્યૂઝના 1297 મામલા બન્યા. જે સૌથી ખરાબ સ્થિતિ હતી. ચૂંટણી પંચે પહેલીવાર સોશિયલ મીડિયા માટે આચાર સંહિતા લાગૂ કરી હતી અને તમામ ચૂંટણી ક્ષેત્રોમાં વિશેષજ્ઞો-નોડલ અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. પંચે જણાવ્યું કે ફેસબુકથી 650 પોસ્ટ, ટ્વિટરથી 220, શેરચેટથી 31 અને ગૂગલથી 5 અને વ્હોટ્સએપથી 3 પોસ્ટ હટાવવામાં આવી છે.
છેલ્લા એક મહીનાથી લાંબા સમયથી ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019ના 545માંથી 542 સીટો પર મતદાન રવિવારે સમાપ્ત થયું. 11 એપ્રિલથી શરૂ થયેલ ચૂંટણી આ વખતે સાત ચરણમાં યોજાઇ. ચૂંટણીના પહેલા ચરણમાં 91 સીટો પર, બીજા ચરણમાં 97 સીટો પર, ત્રીજા ચરણમાં 115 સીટો પર, ચોથા ચરણમાં 71 સીટો પર, પાંચમાં ચરણમાં 51 સીટો પર. અને છઠ્ઠા ચરણમાં 59 સીટો પર વોટિંગ થયું ત્યારબાદ અંતિમ સાતમા ચરણમાં 59 સીટો પર મતદાન યોજાયું. હવે 23 મે ચૂંટણી પરિણામો બાદ જાણી શકાશે કે કોની બનશે સરકાર.