2014માં 'ચાયવાલા' બાદ 2019માં ભારતીય જનતા પાર્ટી ચોકીદાર શબ્દને લઇને પૂરા પ્રયત્નો કરી રહી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર પોતાના નામની આગળ પણ ચૌકીદાર જોડી લીધું હતું, ટ્વિટર પર હવે એમનું નામ 'ચોકીદાર નરેન્દ્ર મોદી' કર્યું હતું. પરંતુ આજે લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પીએમ મોદીએ પોતાના નામની આગળથી ચોકીદાર શબ્દ હટાવી દીધો છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપ અપ્રત્યાશિત સફળતા પ્રાપ્ત કરવા તરફ છે. પ્રચંડ બહુમતી તરફ વધી રહેલી ભાજપે તમામ વિપક્ષી દળોને માર્જિન્સ પર લાઇને ઊભા કરી દીધા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની શુભેચ્છા પાઠવતા કહ્યું પોતાના ટ્વિટર અકાઉ્ટથી 'ચોકીદાર' શબ્દને હટાવી દીધો છે. જણાવી દઇએ કે ચોકીદાર શબ્દને કોંગ્રેસે ભાજપની વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો. પરંતું ભાજપ અને નરેન્દ્ર મોદીએ પોતપોતના નામના આગળથી ચોકીદાર શબ્દ લગાવતા આ પ્રહારને પોતાની ઝાલ બનાવી લીધો હતો.
પ્રધાનમંત્રીએ ચોકીદાર શબ્દ હટાવવાની સાથે એક ટ્વિટ પણ કર્યું છે. ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું છે, 'હવે સમય આવી ગયો છે કે ચોકાગારની ભાવનાને આગળના પડાવ પર લઇ જવામાં આવે. આ ઇચ્છાશક્તિ બનાવી રાખવા અને દેશના વિકાસ માટે દરેક ક્ષણ કાર્ય કરતા રહીએ, આ શબ્દ 'ચોકીદાર' મારા ટ્વિટર અકાઉન્ટથી હટી રહ્યો છે પરંતુ આ મારું અભિન્ન અંગ રહેશે. હું તમને પણ આવું કરવાની અપીલ કરું છું. '
Now, the time has come to take the Chowkidar Spirit to the next level.
Keep this spirit alive at every moment and continue working for India’s progress.
The word ‘Chowkidar’ goes from my Twitter name but it remains an integral part of me. Urging you all to do the same too!