લોકસભાા ચૂંટણીમાં પાર્ટીની હારથી RJDના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ ઘણા તણાવમાં છે. લોકસભા ચૂંટણીના પરિણામો પછી તેઓ સારી રીતે ઊંઘી પણ નથી શકતા, આ સાથે જ દિવસે તો તેમણે જમવાનું પણ છોડી દીધુ છે અને રાત્રે પણ ઓછુ જ જમે છે.
ડોક્ટર્સે તેમની એન્જાઈટિથી પીડિત હોવાની શક્યતા દર્શાવી છે. નોંધનીય છે કે, લાલુ ચારા કૌભાંડમાં સજા કાપી રહ્યા છે.RJDએ લોકસભા ચૂંટણી માટે બિહારમાં કોંગ્રેસ અને RLSP સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ તેમને એક પણ સીટ મળી નથી.
રિમ્સના પેઈંગ વોર્ડમાં એડ્મિટ લાલુનો ઈલાજ કરી રહેલા મેડિસિન વિભાગના પ્રોફેસરે જણાવ્યું કે, ''ચૂંટણી પરિણામ આવ્યા પછી લાલુની દિનચર્યા ખૂબ અવ્યવસ્થિત થઈ ગઈ છે. તેઓ સવારે થોડો નાસ્તો કરે છે અને સાંજે ખૂબ મુશ્કેલથી થોડુ જમે છે. ખાવા-પાવીનું કોઈ ટાઈમ ટેબલ નથી તેથી તેમને ઈન્સ્યુલીન આપવામાં પણ મુશ્કેલી આવી રહી છે. જો ટૂંક સમયમાં જ દિનચર્યામાં સુધારો નહીં થાય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આ સંજોગોમાં તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમને સમજાવામાં આવી રહ્યું છે કે, તેઓ સમયસર ભોજન કરી લે.''
ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે લાલુને હાલ ઘણી નાની-મોટી બીમારીઓ છે. તેમને ઘણાં સમયથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ પણ છે. કાર્ડિયાક સર્જરી પણ કરવામાં આવી છે અને હાર્ટનો વાલ્વ પણ બદલવામાં આવ્યો છે. તેઓ ક્રોનિક કિડની ફેલ્યોર (સ્ટેજ થ્રી)થી પણ પીડિત છે. તે સિવાય તેમને પ્રોસ્ટેટ, હાઈપર યૂરીસિમિયા, પેરિયેનલ ઈન્ફેક્શન, કિડની સ્ટોન અને ફેટી લીવરની પણ સમસ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે જો લાલુએ ટૂંક સમયમાં દિન ચર્યા ન બદલી તો તેમનું સ્વાસ્થય વધારે ખરાબ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, RJDના પ્રદેશ અધ્યક્ષ અભય સિંહ અને લાલૂ પ્રસાદની આટોબાયોગ્રાફી લખનાર નલિન વર્મા તેમને તાજેતરમાં મળ્યા તો, તેમણે કહ્યુ કે, ''લાલૂ પ્રસાદ ઠીકથી સૂઇ નથી શકતા, તેઓ વાંરવાર કહે છે કે, હતોત્સિહાત નથી થવુ.''