લોકસભા ચૂંટણી 2019માં બીજેપીએ જબરદસ્ત સફળતા હાંસલ કરતા કુલ 303 સીટો પર કબજો કર્યો છે. આ જીતના મુખ્ય રણનીતિકાર પાર્ટી અધ્યક્ષ અમિત શાહને માનવામાં આવી રહ્યા છે. એવામાં હવે અમિત શાહની નવી સરકારમાં ભૂમિકાને લઇને રાજનીતિક અટકળો શરૂ થઇ ગઇ છે.
માનવામાં આવી રહ્યું છે કે શાહ પીએમ નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થઇ શકે છે. અને તે સેકન્ડ ઇન કમાન્ડ હશે. જોકે સીનિયર બીજેપી નેતાઓનું કહેવું છે કે તેમને શાહના ભવિષ્યની યોજનાઓ વિશે કોઇ જાણકારી નથી. શાહ અથવા પીએમ નરેન્દ્ર મોદીએ આ વિશે ક્યારેય કોઇ સંકેત નથી આપ્યો.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે ઓછામાં ઓછા ત્રણ બીજેપી નેતાઓનો સંપર્ક કર્યો. ત્રણેય નેતાઓનું માનવું છે કે શાહ સરકારમાં સામેલ થઇ શકે છે. કેમકે પાર્ટી ચીફ તરીકે સૌથી વધુ યોગદાન આપ્યું છે. જો શાહ સરકારમાં સામેલ થાય છે. તો તેમને મોટું અને મહત્વપૂર્ણ મંત્રી પદ મળવાના આસાર નજર પડી રહ્યા છે. જેથી કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીમાં તેમની હાજરી સુનિશ્ચિત થઇ શકે. આ કમિટી કેન્દ્ર સરકારથી સૌથી વધુ પ્રભાવશાળી કમિટીઓમાં સામેલ છે. જોકે, એવું થયું તો બીજેપીમાં પાર્ટી અધ્યક્ષની જગ્યા ખાલી થશે.
આ પહેલા બીજેપીમાં નેતૃત્વના નિર્ણય રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘથી પ્રેરિત રહ્યા છે. પાર્ટીના એક સિનિયર નેતા માને છે કે બીજેપી ઐતિહાસિત જીત અપાવનારી વર્તમાન લીડરશીપ ભેલ જ આરએસએસથી તમામ નિર્દેશ ન લેતી હોય પરંતુ પોતાના નિર્ણય માટે સંઘ નેતૃત્વના આશીર્વાદ જરૂર લેશે. આપને જણાવીએ કે અમિત શાહ જુલાઇ 2015માં પાર્ટી અધ્યક્ષ પદ સંભાળ્યો હતો.