વિધાનસભાની ચૂંટણીમાં ધોળકામાં પાતળી સરસાઇથી જીતેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલીમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે. તેમની સામે હાઇકોર્ટમાં થયેલી ઇલેક્શન પિટિશન પર દર સપ્તાહે સુનાવણી યોજાશે.
કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન રાઠોડે હાઈકોર્ટમાં તેમની જીતને પડકારી
18મી ડિસેમ્બર 2017નાં રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સામે મુશ્કેલીઓ વધી રહી છે. વિધાનસભામાં સામાન્ય મતોથી જીત્યા બાદ વિપક્ષના નેતા દ્વારા મતગણતરી મામલે બ્લન્ડરની પિટિશન ફાઈલ કરવામાં આવી હતી જે મુદ્દે ગઈકાલ એટલે કે, શુક્રવારથી આખરી સુનાવણી પર બન્ને પક્ષે સુનાવણી શરૂ થઇ હતી. પોસ્ટલ બેલેટની ગણતરી અંગે પુરાવાઓ રજૂ થશે બાદ સુનાવણી શરૂ થશે. હવેથી આ મુદ્દે દર અઠવાડિયે સુનાવણી થશે.
શું છે મામલો?
ધોળકા વિધાનસભા બેઠક ઉપરથી ભૂપેન્દ્રસિંહ માંડ 327 મતોથી જીત્યા હતા. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન રાઠોડે હાઈકોર્ટમાં તેમની જીતને પડકારી હતી. કોંગી ઉમેદવારનો આક્ષેપ હતો કે મતગણતરીમાં ઘાલમેલ થવાને કારણે ચૂડાસમાની જીત થઈ છે. આ કેસ હાઈકોર્ટમાં હતો ત્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હાઈકોર્ટને ઠેકીને સુપ્રિમમાં આ અંગે અરજી કરી હતી. ચૂડાસમાએ પોતાના સોંગદનામામાં હાઈકોર્ટ ઉપર ભેદભાવના આક્ષેપ કર્યા હતા.
9 સપ્ટેમ્બરે માંગી હતી માફી
વાત હવે ત્યાં આવીને અટકી હતી કે, આ કેસની સુનાવણીમાં ચૂડાસમાને પણ સાક્ષી તરીકે નિવેદન આપવા દેવા માટે વિનંતી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી હતી. ચૂડાસમાએ સાક્ષીઓની અગાઉ યાદી આપી ત્યારે તેમાં તેમનું નામ નહોતું પરંતુ બીજી તરફ રાઠોડના વકીલે ચૂડાસમાની સાક્ષી બનવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. જો કે જસ્ટિસ પરેશ ઉપાધ્યાએ ચૂડાસમાની વિનંતીને માન્ય રાખી હતી જેને પગલે તેમના વકીલે તાત્કાલિક આ અંગે અદાલતમાં સોંગદનામું દાખલ કરી દીધુ હતુ જેને પગલે 9મી સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે ભૂપેન્દ્ર ચૂડાસમાં હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે લગે હાથ હાઈકોર્ટની ઠેકીને સુપ્રીમમાં જવા બદલ સુપ્રીમની માફી માંગી લીધી હતી.
શું છે સમગ્ર ઘટના?
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણમંત્રી છે. તેઓ જ્યારે વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017નાં રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે તેમને વિજયી જાહેર કરાયા હતાં. જો કે બાદમાં આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ સર્જાયો હતો. જેથી કોંગ્રેસે તેઓની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી.
કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલાં બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમની તરફેણમાં મત હતાં તેને ધ્યાને લેવામાં આવ્યાં ન હતાં. ચૂંટણી પંચનાં નિયમ મુજબ EVMની મતગણતરી પહેલાં બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જો કે તેને બાજુએ મૂકી EVMની ગણતરી કરવામાં આવી હતી.
બીજી બાજુ ચૂંટણી પંચે પણ કબૂલ્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગડબડ થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાનાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલાં લેવા પણ જણાવ્યું હતું. ત્યારે અંતે આ સમગ્ર મામલો અંતિમ તબક્કે પહોંચી ગયો છે. તમને જણાવી દઇએ કે જે સમયે આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા તે સમયનાં ડે. કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિને બદલી તેમને સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરવામાં આવી હતી.