ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ ચૂંટણી પંચની મીટિંગમાં સામેલ થવા પર સ્પષ્ટ ના પાડી દીધી છે. લવાસાએ લઘુમતી નિર્ણયને રેકોર્ડ ન કરવાના વિરોધમાં આ નિર્ણય લીધો છે. લવાસાએ કહ્યું, 'મીટિંગમાં જવાનો કોઇ અર્થ નથી તેથી બીજા ઉપાય પર વિચાર કરી રહ્યો છું.
આપને જણાવી કે લવાસાએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવાદીત નિવેદન મામલે ક્લીન ચીટ આપવા પર તેમના (લવાસા)ના નિર્ણયને રેકોર્ડ કરવામાં આવ્યો નથી. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચે પીએમ મોદીને 6 મામલામાં કોઇપણ પોલ કોડના ઉલ્લંધનના દોષિત માનવામાં આવ્યા નહોતા. ચૂંટણી પંચની ત્રણ સદસ્યના કમીશનમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા અને બે ચૂંટણી કમિશ્નર અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સામેલ હતા.
અશોક લવાસાએ 4 મે લખેલ એક પત્રમાં દાવો કર્યો હતો, 'જ્યારથી લઘુમતીના નિર્ણયને રેકોર્ડ કરવામાં આવ્યો નથી ત્યારથી લઇને મારા પર કમીશનની મીટિંગથી દૂર રહેવાનો દબાવ બનાવવામાં આવ્યો'. લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું, 'જ્યારથી મારા અલ્પમતને રેકોર્ડ કરવામાં આવ્યો નથી ત્યારથી કમીશનમાં થયેલા વિચાર-વિમર્શમાં મારી ભાગીદારીનો કોઇ અર્થ નથી રહેતો'.
લવાસાએ લખ્યું કે, 'આ મામલે બીજી કાનૂની પ્રક્રિયા પર વિચાર કરશે. મારી ઘણી નોટ્સમાં મારા રેકોર્ડિંગની પારદર્શિતાની જરૂરત માટે કહેવામાં આવ્યું છે.' આ પત્ર મળ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ અશોક લવાસા સાથે મીટિંગ બોલાવી હતી. આપને જણાવી કે ચૂંટણી પંચે પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 21 મે આપવામાં આવેલ ભાષણના મામલે ક્લીનચીટ આપી હતી. આ નિર્ણય પર અશોક લવાસાએ આપત્તિ દર્શાવી હતી.