પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ વચ્ચે આજે મોટી બેઠક યોજાઈ હતી.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર
ચૂંટણીની તારીખ નક્કી કરવા મળી બેઠક
5 જાન્યુઆરી બાદ નક્કી થશે ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણી
દેશમાં ઓમિક્રોન ખતરાની વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવી કે નહીં તે અંગે નિર્ણય લેવા માટે ચૂંટણી પંચની મોટી બેઠક મળી હતી. ચૂંટણી પંચ સાથેની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સંબંધિત તમામ જાણકારી ચૂંટણી પંચને આપી. તેમણે પંચને જણાવ્યું કે હાલમાં કોરોના કાબુમાં છે અને વૈશ્વિક સ્તરે મળેલી માહિતી પ્રમાણે ઓમિક્રોન ઘાતક નથી પરંતુ ઝડપથી ફેલાય છે. તેથી બચાવના સાધનનની ઉપરાંત સતર્કતા સંબંધી પગલાં ભરવાની જરુરર છે.
જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે
રાજેશ ભૂષણે જણાવ્યું કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ પર જલદીથી કાબૂ મેળવવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારના જરુરી પગલાં ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
5 જાન્યુઆરી બાદ નક્કી થશે ક્યારે જાહેર કરવી ચૂંટણીની તારીખ
સ્વાસ્થ સચિવ રાજેશ ભૂષણ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ ચૂંટણી પંચે સ્વાસ્થ સચિવને વિસ્તૃત રિપોર્ટની સાથે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરવાનું કહ્યું છે. ચૂંટણી કમિશનરે કહ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી છે તેનો પૂરો રિપોર્ટ, વેક્સિનેશનની સ્થિતિ તે અંગેની 5 જાન્યુઆરીએ બેઠક યોજાશે જે પછી નક્કી થશે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે.
શું નિર્ણય લેવાયો ચૂંટણી પંચની બેઠકમાં
ચૂંટણી પંચે એવો નિર્ણય લીધો છે કે 5 જાન્યુઆરી બાદ નક્કી થશે કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજવી.