ન્યૂ દિલ્હીઃ વિપક્ષ દળો દ્વારા કાઉટિંગમાં ઓછામાં ઓછાં 50 ટકા VVPAT પરચીઓનાં ઇવીએમની સરખામણીની માંગવાળી અરજીનાં જવાબમાં ચૂંટણી આયોગે સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે, આ કારણોસર લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં ખૂબ મોડું થશે.
આયોગે આની વ્યવહારિકતા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આને માટે ન તો માત્ર મોટી સંખ્યામાં સક્ષમ સ્ટાફની જરૂરિયાત રહે છે, પરંતુ ખૂબ મોટાં કાઉટિંગ હોલની પણ દરકાર રહેશે કે જેની પહેલેથી જ કેટલાંક રાજ્યોમાં ઉણપ છે.
વિપક્ષી દળો દ્વારા ઇવીએમ અને વીવીપેટ પરચીઓની સરખામણી 50 ટકા સુધી વધારવાની માંગ જો માનવામાં આવી તો ચૂંટણી પરિણામ આવવામાં અંદાજે 5 દિવસ વધુ લાગી શકે છે. ચૂંટણી આયોગે શુક્રવારનાં રોજ સુપ્રીમ કોર્ટને આ જાણકારી આપી છે.
હકીકતમાં 21 વિપક્ષી દળોનાં નેતાઓને કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે એક નિર્વાચન ક્ષેત્રમાં ઓછામાં ઓછાં 50 ટકા વીવીપેટ પરચીઓની સરખામણી કરવામાં આવે જેથી ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા પર આંચ ન આવે. આનાં પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને વિચાર કરવા માચે કહ્યું હતું.
હવે ચૂંટણી આયોગે પોતાનાં જવાબમાં કહ્યું કે, 'જો સંસદીય અથવા તો વિધાનસભા ક્ષેત્રની 50 ટકા વીવીપેટ પરચીઓની સરખામણી કરવામાં આવે તો આનાંથી ગણતરી કરવાનો સમય વધશે. આમાં અંદાજે 5 વધારાનાં દિવસ લાગી શકે છે. એવામાં લોકસભા ચૂંટણી 2019નાં પરિણામોની જાહેરાત 23મેંને બદલે 28મેંનાં રોજ થશે.'
નથી કોઇ પણ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમઃ
ચૂંટણી આયોગે કોર્ટને જણાવ્યું કે, હાલમાં ઓટોમેટિક રૂપથી પરચીઓની સરખામણીનો આઇડીયા ઉપલબ્ધ નથી. આયોગે કહ્યું કે, 'હાલ પૂરતી તો કોઇ જ મિકેનિકલ સિસ્ટમ નથી કેમ કે વીવીપેટથી નીકળી રહેલ સ્લિપ પર કોઇ પણ પ્રકારનો બારકોડ નથી લાગ્યો ત્યારે એવામાં લોકસભા ચૂંટણીનાં પરિણામ 23 તો વિધાનસભા ચૂંટણીનાં પરિણામ 30 અથવા તો 31 પહેલાં નહીં આવી શકે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવાયું છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ વિજ્ઞાનભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં જણાવ્યું કે તારીખ 11 એપ્રિલથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થશે જે કુલ 7 તબક્કામાં યોજાશે. જ્યારે મતદાન ગણતરી 23 મેંનાં જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે 23 એપ્રિલે ગુજરાતમાં 26 બેઠકો માટે ચૂંટણી યોજાશે.