રાજકોટ: જસદણના કોંગ્રેસના ઉમેદવારને અવસર નાકિયા નોટિસને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. અવસર નાકિયાએ કાર્યક્રમમાં લોકો પાસેથી મત માગવાની અપીલ કરતા ચૂંટણી પંચે આચારસંહિતા ભંગ કરવાની નોટિસ આપી છે. મહત્વનુ છે કે 20 ડિસેમ્બરે જસદણમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે.
તારીખો જાહેર થયાની સાથે જ આચારસંહિતા લાગૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી અવસર નાકીયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા યોજવામાં આવેલા લોકડાયરામાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ લોકોને મત આપવાની અપીલ કરી હતી. વીછીયામાં લોકડાયરામાં મત માંગતા અવરસ નાકીયાને ચૂંટણીપંચે નોટિસ ફટકારી છે.
આપને જણાવી દઇએ કે જસદણમાં કોળી અને પાટીદાર મતદારોનું ખાસ પ્રભુત્વ રહેલું છે. બાવળિયા કોંગ્રેસમાંથી છ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે. જેમાંથી પાંચ વખત જીત્યા છે.
એટલું જ નહીં લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. તો આ તરફ કોંગ્રેસી ઉમેદવાર અવસર નાકિયા પણ કોળી સમાજમાં ખાસ પ્રભુત્વ ધરાવે છે.