ચૂંટણી પંચે શુક્રવારે બે મોટી કાર્યવાહી કરી છે. જેમાં પ્રથમ આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ અનિલ ચન્દ્ર પુનેડાને તત્કાલ હટાવવાનો આદેશ આપ્યો છે. જ્યારે તેની સાથે ચૂંટણી આયોગે કોલકાતાના પોલિસ કમિશ્નર સહિત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીક ગણાતા કેટલાક પોલીસ ઓફિસરોની ટ્રાન્સફર કરી દીધી છે.
ચૂંટણી પંચે શુક્રવારે બે મોટી કાર્યવાહી કરી છે. જેમાં પ્રથમ આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ અનિલ ચન્દ્ર પુનેડાને તત્કાલ હટાવવાનો આદેશ આપ્યો છે. જ્યારે તેની સાથે ચૂંટણી આયોગે કોલકાતાના પોલિસ કમિશ્નર સહિત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીક ગણાતા કેટલાક પોલીસ ઓફિસરોની ટ્રાન્સફર કરી દીધી છે.
ખરેખર, ચૂંટણી પંચ પાસે આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ અનિ ચંદ્ર પુનેઠા વિરુધ્ધ રાજકીય પક્ષપાતની ફરિયાદ આવી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે 6 એપ્રિલના રોજ પુનેઠાની ટ્રાન્સફર કરી ચૂંટણીલક્ષી ન હોય તેવી જવાબદારી સોંપવામાં આવી. જો કે બાકીની કાર્યવાહી તપાસ પૂરી થયા બાદ રીપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે.
આ સાથે ચૂંટણી આયોગે કોલકાતાના પોલીસ કમિશ્નર અનુજ શર્માની પણ બદલી કરી દીધી છે. તેની જગ્યાએ રાજેશ કુમારને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ વિરુધ્ધ ધરણા દરમિયાન અનુજ શર્મા મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે દરેક સમયે હાજર રહ્યાં હતા. અનુજ શર્મા વિરુધ્ધ ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી.
કોલકાતા પોલીસ કમિશ્નર સિવાય સીએમ મમતા બેનર્જીના નજીકના વિદ્યાનગરના પોલીસ કમિશ્નરની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. નટરાજન રમેશ બાબૂને નવા પોલીસ કમિશ્નર બનાવામાં આવ્યાં છે.