3 લોકસભા અને 8 વિધાનસભાની બેઠકો પર થનારી પેટાચૂંટણી મુલવતી
કેન્દ્રીય ચૂંટણી પંચે હાલ નવી કોઇ તારીખનું એલાન પણ નથી કર્યુ
આ પેટા ચૂંટણીઓ દાદર અને નગર હવેલી, મધ્યપ્રદેશના ખંડવા અને હિમાચલ પ્રદેશની માંડી લોકસભા બેઠકો પર યોજાવાની હતી. આ સાથે ચૂંટણી પંચે વિવિધ રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા-ચૂંટણીઓ પણ મુલતવી રાખી છે.
વિવિધ જગ્યાએ ખાલી પડી છે બેઠકો
જણાવી દઈએ કે ભાજપના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણના અવસાન પછી, ખંડવા લોકસભા બેઠક ખાલી પડી છે, જ્યારે હિમાચલ પ્રદેશની માંડવી બેઠક ગત મહિને સાંસદ રામસ્વરૂપ શર્માના નિધન બાદ ખાલી હતી. તે જ સમયે, દાદર અને નગર હવેલીના સાંસદ, મોહન ડેલકરનું ફેબ્રુઆરીમાં અવસાન થયું. જે બાદ આ બેઠક ખાલી પડી હતી. ખંડવા બેઠક પર 1980 એટલે કે 41 વર્ષ બાદ આ બેઠક ઉપર પેટા-ચુંટણીની સ્થિતિનું નિર્માણ થયું છે.
16 મેના રોજ યોજાનારી ચૂંટણી પણ ચૂંટણી પંચે રાખી હતી મોકૂફ
આ પહેલા 3 મેના રોજ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં 16 મેના રોજ યોજાનારી ચૂંટણીને રાજ્યના કોવિડ -19 ના વધતા જતા કેસોને જોતા સોમસરગંજ અને જાંગીપુર વિધાનસભા બેઠકો પર મુલતવી રાખી હતી. આ બેઠકો પર બે ઉમેદવારોના નિધનને કારણે મતદાન થઈ શક્યું નથી. અગાઉ, દેશભરમાં કોવિડ -19 મહામારીના કહેર વચ્ચે, 17 એપ્રિલના રોજ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની બે લોકસભા બેઠકો અને 10 રાજ્યોની 12 વિધાનસભા બેઠકો પર શનિવારની પેટાચૂંટણીને મતદાન થયું હતું. તેના પરિણામો 2 મેના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.
કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચને ગણાવ્યું કોર્ટે જવાબદાર
આપને જણાવી દઈએ કે મદ્રાસ હાઈકોર્ટે કોરોના મહામારી વચ્ચે 5 રાજ્યોની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચને ઠપકો આપ્યો હતો અને કોરોનાની બીજી લહેર માટે તેને જવાબદાર ઠેરવ્યા હતા. મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણીપંચની આકરી ટીકા કરી હતી અને દેશમાં કોવિડ -19 ના બીજા મોજા માટે 'એકલા' જવાબદાર ગણાવતાં કહ્યું હતું કે તે "સૌથી વધુ બેજવાબદાર સંસ્થા" છે.