નવી દિલ્હી: ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બીજા બે મામલે ક્લિનચીટ આપી છે. આ ઘટનાક્રમથી જોડાયેલા સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મોદીએ 23 એપ્રિલ અમદવાદમાં રોડ શો કર્યો. સૂત્રો અનુસાર આયોગ આ નિષ્કર્ષ પર પહોંચ્યું કે મોદીએ આદર્શ આચાર સંહિતા અને ચૂંટણી કાયદાનું કોઇ ઉલ્લંઘન કર્યું નથી.
સૂત્રોએ જણાવ્યું કે પંચે મોદીને કર્ણાટકના ચિત્રદુર્ગમાં 9 એપ્રિલે એમના દ્વારા આપવામાં આવેલા ભાષણના સિલસિલામાં પણ સ્પષ્ટ કરાર આપ્યો છે. ચિત્રદુર્ગમાં એમને પોતાના ચૂંટણી ભાષણમાં નવા મતદાતાઓને પોતાનો વોટ બાલાકોટ હવાઇ હુમલાના નાયકોને સમર્પિત કરવાનો કથિક રૂપથી આહ્વાન કર્યું હતું.
એ જ દિવસે એમને મહારાષ્ટ્રમાં લાતૂર જિલ્લાના ઔસામાં પણ એવી અપીલ કરી હતી. પંચે આ મામલે પણ એમને ક્લિનચીટ આપી હતી પરંતુ ચૂંટણી પંચ આયુક્તોમાં એક વ્યક્તિએ આ મામલે અસહમતિ વ્યક્ત કરી હતી.
આ બંને નિર્ણય સાથે મોદીને અત્યાર સુધી આઠ વખત ક્લિનચીટ મળી ચુકી છે. કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો હતો કે મોદીએ વોટ આપ્યા બાદ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરચાં રોડ શો નિકાળ્યો અને રાજકીય ટિપ્પણી કરી હતી. પહેલા ચૂંટણી પંચે મોદીના છ ભાષણો, શાહના બે ભાષણો અને કોંગ્રેસ પ્રમુખના એક ભાષણને યોગ્ય કહી ચુકી છે.