ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરવાના આરોપને ખોટો જણાવ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વેંકટેશ્વર લૂએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી.
ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરવાના આરોપને ખોટો જણાવ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વેંકટેશ્વર લૂએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી. ઘટના સ્થળે તમામ પાર્ટીઓના પોલિંગ એજન્ટ સાથે પૂછપરછ કરવામાં આવી. પરંતુ તપાસમાં સ્મૃતિ ઇરાનીનો દાવા પાયાવિહોણો નીકળ્યો છે.
લોકસભા ચૂંટણી 2019માં દેશના સૌથી ચર્ચિત લોકસભા સીટ અમેઠીમાં સોમવારે પાંચમાં ચરણ હેઠળ મતદાન યોજાયું હતું. આ દરમિયાન અમેઠી જિલ્લાની ગૌરીગંજ વિધાનસભાના ગૂજર ટોલા ક્ષેત્રમાં બુથ સંખ્યા 316 પર એક મહિલા મતદારે સ્થળ પર હાજર અધિકારીને કોંગ્રેસ પાર્ટીના પક્ષમાં જબરદસ્તીથી વોટ કરાવવાનો આરોપ લગાવ્યો હતો.
અમેઠીથી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ તેને પોતાના ટ્વિટર પર શેર કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર બૂથ કેપ્ચરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તતા ચૂંટણી પંચ સામે તેની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અધિકારીને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા. એક વ્યક્તિએ મહિલાની ફરિયાદના 23 સેકન્ડના એક વીડિયો દ્વારા પોતાના ટ્વિટર પર શેર કર્યો હતો. તેને રીટ્વિટ કરતા સ્મૃતિ ઇરાની એ કહ્યું હતું કે ચૂંટણી પંચ એલર્ટ, રાહુલ ગાંધી સુનિશ્ચિત કરી રહ્યા છે કે બૂથ કેપ્ચરીંગ થાય. ઉલ્લેખનીય છે કે, અમેઠી બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામસામે છે. 2014માં લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને હરાવ્યા હતા.