પૂર્વોત્તરના ત્રિપુરા રાજ્યમાં ગત 11 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણી દરમિયાન હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેના પર ચૂંટણી પંચે લાલ આંખ કરી છે અને મોટી કાર્યવાહી હાથ ધરી છે.ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, ત્રિપુરા વેસ્ટ સીટની 168 પોલિંગ બૂથોનું મતદાન રદ કરવામાં આવ્યું છે.
હવે આ તમામ સીટો પર આગામી 12 મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પંચે હવાલો આપતા કહ્યું કે, મતદાનના દિવસે થયેલી હિંસામાં વોટિંગ પ્રભાવિત થયું હોવાનો ડર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Election Commission of India: Polls held on 11th April at 168 polling stations of the Tripura West Parliamentary constituency declared void. Re-polls to be held on 12th May from 7 am to 5 pm. pic.twitter.com/3ioNIHETCo
12મે ના રોજ છટ્ઠા તબક્કામાં યોજાનારી ચૂંટણી દરમિયાન ત્રિપુરામાં પણ ફરીથી ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન સીપીઆઈએ આરોપ લગાવ્યો હતો કે, કેટલીક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડાબેરી પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકોને મતદાન કરતા રોક્યા હતા. જે બાદ મામલો વણસ્યો હતો અને હિંસા થઈ હતી.