ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે નીતિ આયોગ અને વડાપ્રધાન કાર્યાલયને ક્લીનચીટ આપવાના મામલે ફરી વિચાર કરવા નિર્ણય લીધો છે. ગત સપ્તાહે ચૂંટણી પંચે કોંગ્રેસની એ ફરિયાદ પર કાર્યવાહી કરી હતી. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી સભામાં આચાર સંહિતાના ઉલ્લંઘનની વાત કરવામાં આવી હતી.
કોંગ્રેસે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રના લાતૂર, ગોંદિયા અને વર્ધામાં ચૂંટણી રેલી પહેલા પીએમઓ તરફથી સૂચના એકત્રિત કરવા નીતિ આયોગની મદદ કરી હતી.
આપને જણાવી કે, ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ પત્ર લખીને આચાર સંહિતા તોડવા સંબંધી કેટલાય નિર્ણયો પર અસહમતિ દર્શાવી હતી. ક્લીનચીટ મામલે થયેલા વિવાદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા કહ્યું કે આચાર સંહિતા પર લઘુમત નિર્ણય રેકોર્ડ કરવા અને ચૂંટણી કમિશ્નર અશોક લવાસા દ્વારા આપવામાં આવેલ પત્રમાં જે વિવાદ સર્જાયો છે તેને બેકાર અને ગેરજરૂરી છે. સુનીલ અરોડાએ આગળ જણાવ્યું કે આ વિવાદ અને તેની સાથે જોડાયેલા મામલાની ચર્ચા માટે મંગળવારે ચૂંટણી પંચની બેઠક બોલાવામાં આવી છે.
પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત કરતા 12 મે ડેપ્ચૂટી ઇલેક્શન કમિશ્નર સંદીપ સક્સેનાએ પત્રકારોને બતાવ્યું હતું કે ચૂંટણી પંચને કોંગ્રેસની ફરિયાદમાં કોઇ મેરિટ જોવા મળી નહોતી. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્લીનચીટ પર ચૂંટણી કમિશ્નર અશોક લવાસાના આગ્રહ હોવા છતા આપ્યો હતો.
લવાસાએ આ મામલે નીતિ આયોગના સીઇઓ અભિતાભ કાંતને આ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. શું એમણે ગોંદિયા, વર્ધા અને લાતૂરના કલેક્ટરોની સૂચના માંગી હતી. શું આ સૂચનાઓનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓ માટે પ્રયોગ કરવામાં આવ્યો હતો. પીએમ મોદી વિરુદ્ધ આ ફરિયાદને મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા અને ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રાએ ફગાવી દીધી હ