દેશમાં કોરોનાની વણસેલી સ્થિતિને જોતા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીને લઈને કેટલાક સખ્ત પગલા લીધા છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચ એક્શનમાં
સાંજે 7 વાગ્યા બાદ રેલી અથવા પ્રચાર નહીં કરવાના આપ્યા આદેશ
સર્વદળીય બેઠકમાં લેવાયો નિર્ણય
આજે ચૂંટણી પંચે બોલાવેલી બેઠક દરમિયાન ચૂંટણી પંચે કેટલાક કડક પગલાના ભાગરૂપે રાજકીય પાર્ટીઓને મહત્વના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચે આપેલ આદેશ પ્રમાણે કોઇપણ પાર્ટી સાંજે 7 વાગ્યા બાદ રેલી અથવા પ્રચાર નહીં કરી શકે.
72 કલાક પહેલા જ પ્રચાર કાર્ય પર લાગશે રોક
આ સાથે જ ચૂંટણી યોજાવાના 72 કલાક પહેલા જ પ્રચાર કાર્ય પર લગાવવી પડશે રોક. જેની સમય મર્યાદા પહેલા 48 કલાક રાખવામાં આવી હતી.
શું આપ્યા ચૂંટણી પંચે આદેશ
આયોગે કહ્યું હતું કે, તમામ ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓએ કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે. કોઇપણ પ્રકારના નિયમના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલી આયોજકોની જવાબદારી રહેશે કે, રેલીમાં આવેલા તમામ લોકોને સેનેટાઇઝર અને માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે, સાથે મંજૂરી આપવામાં આવેલ તેટલી સંખ્યામાં લોકો એકઠા કરે.
સ્ટાર પ્રચારકો અને પક્ષના ઉમેદવારો પોતાને માસ્ક પહેરે, સમર્થકોને પ્રેરણા આપે
ચૂંટણી પંચે કહ્યું છે કે સ્ટાર પ્રચારકો અને પાર્ટીના ઉમેદવારોએ જાતે માસ્ક પહેરવા જોઈએ અને સમર્થકોને પણ પ્રેરિત કરવા જોઈએ. આ સિવાય, ટેકેદારોને સેનિટાઇઝર અને સામાજિક અંતર તરફ ધ્યાન આપવા માટે કહો.
આજે ચૂંટણી પંચે બોલાવી હતી સર્વદળીય બેઠક
આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાની સ્થિતિ વણસી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે વિવિધ મુદ્દા પર ચર્ચા કરવા માટે ચૂંટણી પંચે સર્વ દળીય બેઠક બોલાવી હતી.
હાઈકોર્ટેના પણ નિર્દશ
આ પહેલા કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ ટીબી એન રાધાકૃષ્ણનની પીઠે 2 જનહિતની અરજી પર સુનવણી કરતા મંગળવારે નિર્દેશ કર્યો હતો કે કોરોના વાયરસના મામલામાં વધારાને ધ્યાનમાં રાખી વિધાનસભાની ચૂંટણી માટે રાજનીતિત દળોના પ્રચારના સંબંધમાં સ્વાસ્થ્ય સંબંધી તમામ નિર્દેશોનું કડકાઈથી પાલન થવું જોઈએ.