10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી તમામ પ્રકારના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ
ઉલ્લંઘનના કિસ્સામાં બે વર્ષની જેલ અથવા તો દંડ
યુપી વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે એક મોટો નિર્ણય કરીને 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી તમામ પ્રકારના એક્ઝિટ પોલ પર પાબંધી મૂકી દીધી છે. યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ શનિવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે એક્ઝિટ પોલ કરાવવા, પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક મીડિયામાં તેના પ્રકાશન અથવા તો તેના પ્રચાર પર 10 ફેબ્રુઆરીના સવારના સાતથી સાત માર્ચની સાંજના 6.30 વાગ્યા સુધી પ્રતિબંધ છે.
In a notification, the Election Commission of India said, "No person shall conduct any exit poll and publish or publicize by means of print or any other manner, the result of any exit poll." pic.twitter.com/omMfYb7kWV
ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ કહ્યું કે પંચના આ નિર્ણયનું કોઈ ઉલ્લંઘન કરશે તો તેવા વ્યક્તિને બે વર્ષની જેલ અથવા તો દંડ અથવા તો બન્ને થશે. તેમણે કહ્યું કે ચૂંટણીની સામાન્ય પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈ પણ પ્રકારનો ઓપિનિયન પોલ કે બીજા કોઈ સર્વેક્ષણ પ્રકાશિત નહીં કરી શકે.
યુપીમાં સાત તબક્કામાં મતદાન, 10 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે પહેલો તબક્કો
યુપીમાં કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે. પહેલા તબક્કાનુ મતદાન 10 ફેબ્રુઆરીથી શરુ થશે ત્યાર બાદ 14 ફેબ્રુઆરીએ બીજો, 20 ફેબ્રુઆારીએ ત્રીજા, 23 ફેબ્રુઆરીએ ચોથા, 27 ફેબ્રુઆરીએ પાંચમા, 3 માર્ચે છઠ્ઠા તથા 7 માર્ચે 7મા તબક્કાનું મતદાન થશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે.
પીએમ મોદી 31 જાન્યુઆરીએ યુપીમાં વર્ચ્યુઅલી રેલીને સંબોધિત કરશે
પીએમ નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી ભાજપ માટે પોતાની પહેલી વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરશે. આ દરમિયાન પહેલા તબક્કામાં જે જિલ્લાઓમાં મતદાન થવાનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે ચૂંટણી પંચે 31 જાન્યુઆરી સુધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે જો ચૂંટણી પંચ પ્રતિબંધ લંબાવે તો પીએમ આવી જ વર્ચ્યુઅલ રેલીઓને સંબોધી શકે છે.