લોકસભા ચૂટણી બાદ ખાલી પડેલી ગુજરાતની 7 બેઠકોમાંથી 4 બેઠક પર પેટાચૂંટણી યોજાવાની કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી. ત્યારે રવિવારે વધુ 2 બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
રાધનપુર અને બાયડ બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત
21 ઓક્ટોબરે યોજાશે મતદાન
24મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે
મહારાષ્ટ્ર અને હરિયાણાની સાથે ગુજરાતની વિધાનસભા પેટાચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા અમરાઈવાડી, થરાદ, ખેરાલું અને લુણાવાડા બેઠક બાદ વધુ બે બેઠક રાધનપુર અને બાયડની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની કુલ 6 બેઠકો પર 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે.
આમ ગુજરાતની 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે બાકી રહેલી મોરવાહડફ બેઠક પર હજુ કોઇ જાહેરાત કરવામાં નથી આવી. જ્યાં હાલ ચૂંટણી યોજાશે નહીં.
જો કે આ અગાઉ ચૂંટણી પંચે કહ્યું હતું કે ઉમેદવારે પોતાનો ક્રિમિનલ રેકોર્ડ અને સંપત્તિ અંગેની જાણકારી આપવી પડશે. 30 દિવસમાં ચૂંટણી ખર્ચની જાણકારી આપવી પડશે. આ સાથે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21મીએ મતદાન અને 24મીએ મતગણતરી
ગુજરાતની 6 વિધાનસભાની પેટાચૂંટણી સહિત મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી 21મીએ મતદાન અને 24મીએ મતગણતરી યોજાશે. બંને રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે.