મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારની 50થી વધુ સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો ઘણા સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.
મહેસાણામાં અશાંત ધારાનો અમલ કરાવવાની ઉઠી માંગ
ધોબીઘાટ વિસ્તારની સોસાયટીઓમાં લાગ્યા પોસ્ટરો
50થી વધુ સોસાયટીઓએ લગાવ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો
ગુજરાત સરકાર દ્વારા બે કોમ વચ્ચે વૈમનસ્યના વધે એ માટે અશાંત ધારો અમલમાં લાવવામાં આવેલો છે, જેમાં એક કોમનો વ્યક્તિ બીજી કોમના વ્યક્તિને દુકાન કે મકાન ભાડે અને વેચાણ આપી શકે નહીં. આ અશાંત ધારો બહુ સંખ્યક લોકોની ફરિયાદો અને માંગણીઓને ધ્યાનમાં રાખી ગુજરાતમાં અમલમાં લાવવામાં આવેલો છે. પરંતુ મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો નથી અને તેના કારણે સ્થાનિક રહીશોનો વિરોધ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે હવે ગુજરાત સરકાર સાંભળતીના હોવાથી મહેસાણા ધોબીઘાટની સોસાયટીના રહીશોએ અશાંત ધારાનો અમલ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના પોસ્ટર લગાવવાથી મામલો ગરમાયો છે.
લોકોને સસ્તા દરે મકાન વેચવા થવું પડી રહ્યું છે મજબૂર
ગુજરાત સરકાર દ્વારા અશાંત ધારો અમલમાં લાવવા માં આવ્યો છે, જેમાં બહુમતિ લોકોના વિસ્તારમાં લઘુમતિના વ્યક્તિ દુકાન કે મકાન ભાડે અને વેચાણથીના લઇ શકે એ માટેનો અશાંત ધારો લાવવામાં આવ્યો છે. પરંતુ મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારાનો અમલ થતો નથી અને આ કારણે એક મકાન લઘુમતિના લોકોને વેચાણ આપ્યા બાદ બાકીના મકાનો સસ્તી કિંમતે વેચવા અન્ય બહુમતી ધરાવતા લોકોને મજબૂર થવું પડે છે. આવી જ સ્થિતિ મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં વારંવાર બને છે અને તેના કારણે ઘણાં લાંબા સમયથી સોસાયટીના રહીશોનો વિવિધ પ્રકારે વિરોધ ચાલે છે. પરંતુ મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર જાણે આંખ મીચામણા કરતુ હોય એ પ્રકારે અશાંત ધારાનો અમલ કરાવતું જ નથી. આ કારણે સ્થાનિક બહુ સંખ્યક લોકોને સસ્તા દરે મકાન વેચવા મજબૂર થવું પડી રહ્યું છે.
રહીશોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું
મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો ના હોવાથી સોસાયટીઓના રહીશોને મકાન વેચવા મજબૂર થવું પડ્યું છે અને તેના જ કારણે સ્થાનિકોમાં ઘણા લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો છે. અશાંત ધારો લાગુ કરવા ભૂતકાળમાં અનેકવાર સ્થાનિક રહીશોએ રેલીઓ કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને દેખાવો યોજી અશાંત ધારો લાગુ કરવા જિલ્લા વહીવટ તંત્ર પાસે માંગણી કરી છે. તેમ છતાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો ના હોવાથી આખરે મહેસાણા ધોબીઘાટ વિસ્તારની 50થી વધુ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.
ચૂંટણી બહિષ્કારના બેનરોથી ખળભળાટ
મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી હરિહર, પંચશીલ, ન્યુ આસોપાલવ, જયવિજય, ચાણક્ય, ધરતી ટાઉનશીપ સહિતની 50થી વધુ સોસાયટીઓના રહીશોએ હવે ચૂંટણીનો વિરોધ નોધાવ્યો છે. આ માટે સોસાયટીઓમાં અશાંત ધારાનો અમલ નહિ તો ચૂંટણીનો બહિષ્કારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. બહુ સંખ્યક રહીશોની સોસાયટીઓમાં અશાંત ધારાના અમલ માટે ચૂંટણી બહિષ્કારના પોસ્ટરોથી મામલો ગરમાયો છે.