લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી પ્રચાર કરી રહેલી સમાજવાદી પાર્ટીની નેતા જયા બચ્ચને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો હતો. જયા બચ્ચને PM મોદીનુ નામ લીધા વગર આ સમયે જે વ્યકિત રક્ષા કરવા માટે ઉત્તરદાયી છે, તે અરાજકતા અને અવ્યવસ્થા ફેલાવી રહ્યા છે. ત્યારે લખનઉથી સપાના ઉમેદવાર પૂનમ સિન્હા માટે વોટ માંગવા પહોંચેલા જયા બચ્ચને કહ્યુ કે, ''જો તેમની જીત ના થઇ તો તેઓ મને મુંબઇમાં પ્રવેશવા નહી દે.''
મંગળવરે જયા બચ્ચન એક રેલી સંબોધિત કરતા કહ્યુ કે, ''જે વ્યકિત દેશની રક્ષા માટેનો ઉત્તરદાયી છે, તે અરાજકતા અને અવ્યવસ્થા ફેલાવી રહ્યો છે. આ સાથે જ કહ્યુ કે, બૂથ એજન્ટની જવાબદારી મહત્વ અને આવશ્યક છે.'' વાસ્તવમાં લખનઉમાં પૂનમ સિન્હા માટે ચૂંટણી પ્રચાર કરવા માટે જયા બચ્ચને લોકોને જીતાડવા માટે અપીલ કરી હતી.
જયા બચ્ચને કહ્યુ કે, સમાજવાદી પાર્ટીની પરંપરા છે કે, ''અમે નવા ઉમેદવારોના દિલથી સ્વાગત કરીએ છીએ. અમે હંમેશા તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમની જીત સુનિશ્ચિત કરીએ છીએ. સાથે જ વિશ્વાસ અપાવીએ છીએ કે, તમે ક્યાંથી પણ હોવો મોટી વાત નથી, તમે સમાજવાદી પાર્ટીનો ભાગ છે અને તમારી સુરક્ષા કરીશું.''
મિસિસ બચ્ચને આગળ કહ્યુ કે, ''તમે તમામ લોકો પૂનમ સિન્હાને જીતાડવાનું વચન આપો, નહીં તો તે મારી મુંબઇમાં એન્ટ્રી નહી થવા દે, તે મારી મિત્ર છે અને છેલ્લા 40 વર્ષથી તેની સાથે સારા સંબંધ છે.''
ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બસપા અને આરએલડીની સાથે મળીને ચૂંટણી લડી રહી છે. સપા 37 સીટ પર, બસપા 38 સીટ અને આરએલડી 3 સીટ પર ચૂંટણી લડી રહી છે. લખનઉમાં 6 મેના ચૂંટણી થશે. પૂનમ સિન્હા 16 એપ્રિલના સપામાં જોડાઇ અને લખનઉથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.