બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભોપાલથી બીજેપી ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરને પાર્ટીથી કાઢી મુકવા અપીલ કરી છે. સાધ્વી પ્રજ્ઞા દ્વારા ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવવા પર નારાજ નીતિશ કુમારે કહ્યું કે આ પ્રકારના નિવેદન ન ચલાવી લેવાય. જોકે, એમણે આ મામલાને બીજપીનો અંગત મામલો જણાવ્યો.
પટનામાં મતદાન બુથથી બહાર નીકળતા સમયે નીતિશ કુમારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, 'સાધ્વી પ્રજ્ઞાના આ પ્રકારના નિવેદન માટે તેમને પાર્ટીથી બહાર કરી દેવી જોઇએ. તેની સાથે નીતિશ કુમારે સાત ચરણોમાં થઇ રહેલા મતદાનને લઇને ચૂંટણી પંચ પર નારાજગી દર્શાવી. એમણે કહ્યું કે, આટલા લાંબા સમય સુધી ચૂંટણી ચાલવી ન જોઇએ. નીતિશ કુમારની ટિપ્પણી બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પલટવાર કરતા કહ્યું, ચૂંટણીના અંતિમ દિવસે નીતિશ કુમારને આ બધું યાદ આવે છે. એમણે આ પહેલા તેમનું મોં ખોલવું જોઇતું હતું.
તેમણે કહ્યું કે, દેશમાં ફેબ્રુઆરી-માર્ચ કે પછી ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી થવી જોઈએ. સાથો સાથ ઓછા તબક્કામાં મતદાન યોજાવું જોઈએ. જેના માટે એક સર્વદળીય મીટિંગ પણ થવી જોઈએ. લોકસભા ચૂંટણીમાં કાર્યક્રમમાં બદલાવ કરવાની જરૂર છે.
Bihar CM Nitish Kumar on BJP Sadhvi Pragya Singh's statement 'Godse is patriot': It is condemnable. What action the party takes is their internal matter. We should not tolerate such a statement. pic.twitter.com/QvCwALtRdT
મેં ચૂંટણી દરમિયાન જોયું કે, ગરમીથી લોકો પરેશાન થઈ જાય છે. જેથી કરીને ગરમીમાં ચૂંટણી પ્રક્રિયા લાંબી ના હોવી જોઈએ. ચૂંટણી કાર્યક્રમમાં સુધારા માટે દેશની તમામ પાર્ટીઓને પત્ર લખીશું. એક તબક્કાથી બીજા તબક્કાની ચૂંટણી વચ્ચે આટલી મોટી સમય મર્યાદા ના હોવી જોઈએ.