પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીના અંતિમ ચરણના મતદાનથી કેટલાક કલાક પહેલા શનિવારે ચૂંટણી પંચે પત્ર લખી રાજ્યમાં ભાજપના હસ્તક્ષેપ વિના 'શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ' રીતે ચૂંટણી સંપન્ન કરવા આગ્રહ કર્યો છે.
તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ બેનર્જીએ પોતાના સત્તાવાર લેટરહે઼ડ પર લખેલા પત્રમાં કહ્યું કે, ચૂંટણી પંચએ એ સુનિશ્ચિત કરવું જોઇએ કે રવિવારે યોજાનારા મતદાન 'કેન્દ્ર સરકારના અનુચિત હસ્તક્ષેપ' અને 'કેન્દ્રની સત્તાધારી પાર્ટીના હસ્તક્ષેપ' વિના સંપન્ન થાય.
બેનર્જીના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાને લખેલા પત્રમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીના અંતિમ ચરણનું મતદાન છે. હું આપના કાર્યાલયને અનુરોધ કરું છું કે ચૂંટણી શાંતિપુર્ણ રીતે, નિષ્પક્ષ રૂપે અને કેન્દ્ર સરકારના કોઇપણ પ્રકારના અનુચિત હસ્તક્ષેપ તથા કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી દ્વારા કોઇપણ દખલ વિના પૂર્ણ કરવામાં આવે.
મમતા બેનર્જીએ ચૂંટણી પંચને 'દેશની લોકતાંત્રિક સંસ્થાઓ અને સંઘીય ઢાંચાની રક્ષા કરવા અને વિપક્ષી દળો પ્રત્યે ઉચિત સન્માન વધારવા ' નો અનુરોધ કર્યો. ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી (ભાજપ)ના પ્રભાવને કારણે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઘણા 'અવૈધ', અસંવૈધાનિક અને પક્ષપાતી નિર્ણય જોવા મળ્યા.