મહાનગર પાલિકા તેમજ નગરપાલિકાનાં શિક્ષકોને ચૂંટણી પહેલા સરકારે 4200 ગ્રેડ પે આપવાની જાહેરાત કરી હતી. પરંતું ચૂંટણી પૂર્ણ થયાને લાંબો સમય વીતવા છતાં પણ શિક્ષકોની માંગ સંતોષવામાં આવી નથી.
4200 ગ્રેડ પે આપવાની માંગ
ન.પા અને મનપાના શિક્ષકોની માંગ
ચૂંટણી પૂર્ણ થતા શિક્ષકોની માંગ સંતોષાઈ નથી
રાજય સરકાર દ્વારા નગરપાલીકા અને મહાનગર પાલીકાના શિક્ષકો 4200 ગ્રેડ પે આપવનાની ચુંટણી પહેલા જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. સરકાર બની ગઈ તે વાતને પણ મહિનાઓ વિતવા છતાં જાહેરાત પર અમલવારી કરવામાં આવી નથી. જેથી નગરપાલિકાઓ અને મહાનગરપાલીકાના શિક્ષકો હજુ સુધી 4200 ગ્રેડ પે થી વંચીત છે. શિક્ષકોનું માનવુ છે કે સરકારે અમારી માંગ ચૂંટણી પુરતી સંતોષી પરંતુ તેને હજુ સુધી અમલમાં મુકી નથી.
સમાન કામ સમાન વેતન ધોરણનાં અંતે અમલ થવો જોઈએઃ શિક્ષક
આ બાબતે શિક્ષક મનોજ પટેલે જણાવ્યું હતું કે, 4200 ગ્રેડ પે માટે અમે ગાંધીનગર સુધી ધરણાં કર્યા હતા. સત્યાગ્રહ છાવણીની અંદર ધરણા કર્યા હતા. જે બાદ સરકારે પાંચ મંત્રીઓની કમિટી રચી હતી. ત્યારે કમિટી જોડે અમારે વારંવાર મીટીંગો પણ થઈ હતી. મીટીંગમાં એવું નક્કી થયું હતું કે તમને 4200 ગ્રેડ પે 1990 થી અમે અમલ આપીશું. ત્યારે 1990 થી અમલ આપવાની વાત તો દૂર રહી પરંતું અમારી એલએફની જે સર્વિસ બુક છે તેની અંદર રીકવરી લખ્યું છે. ત્યારે સરકારે તેમનું વચન તોડ્યું છે. ત્યારે અમને જે અમલ આવપાનો હતો તે આપ્યો નથી. અમારી માંગણી છે કે જીલ્લા પંચાયતનાં શિક્ષકોને ગ્રેડ પે મળે તેમ અમને પણ 4200 ગ્રેડ પે મળવો જોઈએ. પરંતું નગર પાલિકા અને મહાનગર પાલિકાનાં શિક્ષકોને અમલ આપેલો નથી. અમારી માંગણી હતી કે સમાન કામ સમાન વેતન ધોરણનાં અંતે અમલ થવો જોઈએ. પરંતું સરકારે તેનો અમલ કરેલ નથી. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી ગ્રેડ પે 4200 કરવાની જાહેરાત કરવામાં આવી હતી
જે તે સમયે ગુજરાત સરકારે ચૂંટણી પહેલા મહાનગર પાલિકા તેમજ પાલિકાની શિક્ષકોનાં ગ્રેડ પે માં સુધારો કરી દીધો હતો. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી ગ્રેડ પે 4200 કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાબતે પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પરિપત્ર જાહેર કર્યો હતો. જેથી પ્રાથમિક શાળાનાં શિક્ષકોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી. પરંતું હજુ સુધી પાલિકા તેમજ મહાનગરપાલિકાનાં શિક્ષકોને ગ્રેડ પે થી વંચીત છે. પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું જાહેરાત કરી હતી
પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ. ૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર મુજબ રૂ. ૯૩૦૦-૩૪,૮૦૦ ગ્રેડ પે ૪૨૦૦) મંજુર કરવા અંગે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો હતો.