ટેલિવિઝન તથા બોલિવૂડ એક્ટર કુશલ પંજાબીએ ગુરુવાર (26 ડિસેમ્બર) રાતે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી હતી. 28 ડિસેમ્બરે કુશલના કુશલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણાં સેલેબ્સ હાજર રહ્યાં હતાં. કુશલની અચાનક મોતથી ટેલિવિઝન સ્ટાર્સને ઝટકો લાગ્યો છે.
કુશલ પંજાબીએ પંખા સાથે લટકીને કરી આત્મહત્યા
ટેલિવિઝન સેલેબ્સ શોકમાં
એકતા કપૂરે આપી આવી પ્રતિક્રિયા
કુશલ પંજાબી અંગે એકતા કપૂર આપી પ્રતિક્રિયા
હાલમાં જ ટેલિવિઝનની ક્વિન અને પ્રોડ્યૂસર એકતા કપૂરે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'આપણે ડિપ્રેશનને કારણે કુશલને ગુમાવી દીધો છે. કુશલે નરકમાં સમય પસાર કર્યો હતો અને હવે તેની આત્માને શાંતિ મળે.' એકતાએ વધુમાં લખ્યું, મને હમણાં જ જાણવા મળ્યું કે, આપણે કોઈકને ડિપ્રેશનને કારણે ગુમાવી દીધો છે. આપણે હારી ગયા.
ઉલ્લેખનીય છે કે, કુશલે મૃત્યું પહેલાં દોઢ પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી. નોટમાં તેણે લખ્યું હતું કે, તેના મોત માટે કોઈને જવાબદાર ગણવા નહીં અને તેની મ મિલકતમાંથી 50 ટકા હિસ્સો તેના દિકરા કિઆનને અને બાકીના 50 ટકા માતા-પિતા તથા બહેનને આપવો.
કુશલ પંજાબીના ખાસ મિત્ર ચેતન હંસરાજે કહ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી કુશલ મુશ્કેલીમાં હતો. તેની પત્ની ઑડ્રે દિકરાને લઈને શાંઘાઈ રહેવા જતી રહી હતી. તેમની વચ્ચે મતભેદો હતાં. આ વાતથી કુશલ ઘણો જ સ્ટ્રેસમાં રહેતો હતો.