શિવસેના સાથે બળવો કરીને મુખ્યમંત્રી બની જનારા એકનાથ શિંદેને હવે આ વાતની ચિંતા સતાવવા લાગી છે કે, આખરે તેમના આ નિર્ણયથી શિવસૈનિક કેટલા ખુશ છે
એકનાથ શિંદે જૂથે બળવો તો કર્યો પણ હવે ચિંતા થવા લાગી
જનતાનો સર્વે કરાવશે, બળવાથી જનતા કેટલી ખુશ તે જાણશે
લોકસભા ચૂંટણી અને આગામી ચૂંટણીનું બનાવી રહ્યા છે પ્લાનિંગ
શિવસેના સાથે બળવો કરીને મુખ્યમંત્રી બની જનારા એકનાથ શિંદેને હવે આ વાતની ચિંતા સતાવવા લાગી છે કે, આખરે તેમના આ નિર્ણયથી શિવસૈનિક કેટલા ખુશ છે અથવા તો નારાજ છે. આદિત્ય ઠાકરે હાલમાં શિવસૈનિકોને પોતાના પડખે કરવા માટે રેલીઓ પર રેલીઓ કરી રહ્યા છે અને ખાસ કરીને બળવાખોરના વિસ્તારમાં જઈ રહ્યા છે. આ તમામની વચ્ચે એકનાથ શિંદે શિવસેનાની વચ્ચે એક સર્વે કરાવવા પર વિચાર કરી રહ્યા છે. તેના દ્વારા એ જાણવા માગે છે કે, તેમના બળવાના નિર્ણયો પર શિવસૈનિકો શું વિચારે છે. હકીકતમાં બીએમસી ચૂંટણી અને પછી લોકસભા ચૂંટણીના હિસાબે એકનાથ શિંદે પ્લાનિંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, સર્વેમાં શિવસૈનિકોનો મૂડ જાણ્યા બાદ પ્લાનિંગ કરવાનું સરળ રહેશે.
એકનાથ શિંદે કેમ્પ આ સર્વે માટે એક સંસ્થાને પણ હાયર કરવા માગે છે. સીએમનું માનવું છે કે, તેનાથી જનતાનો મૂડને સમજવામાં સરળતા રહેશે કે આખરે તેમના બળવા પાછળ લોકો શું વિચારી રહ્યા છે. શિંદે જૂથમાં પણ આ વાતની ચિંતા છે ક્યાં તેમના તરફથી કરવામાં આવેલા બળવાનું બેકફાયર ન થાય. હકીકતમાં શિવસેનાના 54માંથી 40 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે આવી ગયા છે. પણ હવે તેમને એ વાતનો ડર છે કે, કાર્યકર્તા તેમને સાથ આપશે કે નહીં. ત્યારે આ બાબતને લઈને મૂડ જાણવા માટે સર્વે કરાવશે.
એકનાથના દિકરાનો સર્વે કરાવવાનો આઈડીયા
આ સર્વે દ્વારા શિંદે કેમ્પે કર્ણાટકમાં આવેલા પબ્લિક પોલિસી રિસર્ચ સંસ્થા અને દિલ્હીની ઈલેક્શન રિસર્ચ ફર્મ સાથે જોડાયેલ લોકોની મુલાકાત કરી હતી. અત્યાર સુધી શિંદે કેમ્પ તરફથી સર્વેને લઈને કોઈ નિવેદન આવ્યું નથી. પણ માનવામાં આવી રહ્યુ છે કે, આગામી ચૂંટણીને ધ્યાને રાખી તે કરાવશે. કહેવાય છે કે, સર્વેનો આ આઈડીયા એકનાથ શિંદેના દિકરા શ્રીકાંત શિંદેનો છે. તેમને દિલ્હીમાં સર્વે કરનારી ફર્મ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરી છે. આપને જણાવી દઈએ કે, સરકાર જવા અને પાર્ટી પર સંકટ આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ પર ખૂબ એક્ટિવ થઈ ગયું છે.