મહારાષ્ટ્રમાં હાલમાં જે રીતનું રાજકારણ રમાઈ રહ્યું છે, તેને જોતા એકનાથ શિંદે સમગ્ર ઘટનાક્રમના ચાણક્ય બનતા જાય છે, બીજી બાજૂ ઉદ્ધવ ઠાકરે માથે ટેન્શન વધતું જાય છે.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું
શિવસેનાના બે ફાડીયા પડ્યા
ઉદ્ધવ ઠાકરેના બંને હાથમાં લાડવા જશે
શિવસેના કોની ? ઉદ્ધવની કે શિંદેની...એકનાથ શિંદેએ હાલમાં કરેલા ટ્વિટથી તો એવું જ લાગી રહ્યું છે. લાગે છે કે મનામણા-રીસામણાંનો સમય હવે ખતમ થવાનો છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના ઘારાસભ્ય ભરત ગોગાવાલેને પાર્ટીના વિધાનમંડળના નવા પ્રતિનિધિ તરીકે નિમ્યા છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેની સાથે જ શિંદેએ કહ્યું કે, ગોગાવાલેને શિવસેનાના પ્રતિનિધિ નિમણૂંક કર્યા બાદ સુનીલ પ્રભુને આજની મીટિંગથી સંબંધિત આદેશ રદ થઈ જાય છે. શિંદેએ ટ્વિટ કરીને કહ્યું કે, શિવસેના ધારાસભ્ય ભરત ગોગાવાલેને શિવસેના વિધાનમંડળના પ્રતિનિધિ નિમણૂંક કરવામાં આવ્યા છે. ત્યારે આવા સમયે ધારાસભ્યોની મીટિંગ બોલાવાનો સુનીલ પ્રભૂનો આદેશ અમાન્ય ઘોષિત થઈ જાય છે.
આ અગાઉ શિવસેનાએ ચીફ વ્હિપ સુનીલ પ્રભૂએ એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં પાર્ટીએ તમામ ધારાસભ્યોને આજે બુધવારે સાંજે થનારી મીટિંગમાં આવવા માટે કહ્યું હતું. આ પત્રમાં જણાવ્યા અનુસાર જો કોઈ ધારાસભ્ય મીટિંગમાં પહોંચતા નથી, તો એવું માનવામાં આવશે કે તેણે પાર્ટી છોડી દીધી છે.
शिवसेना विधिमंडळ मुख्य प्रतोद पदी शिवसेना आमदार श्री.भरत गोगावले यांची नियुक्ती करण्यात आली आहे. सबब, श्री.सुनील प्रभू यांनी आजच्या आमदारांच्या बैठकीबद्दल काढलेले आदेश कायदेशीरदृष्ट्या अवैध आहेत.
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 22, 2022
એકનાથ શિંદેની નજીક છે ભરત ગોગાવાલે
અહીં ઉલ્લેખનીય છે કે, ભરત ગોગાવાલે ગુવાહાટીમાં જ છે. જે એકનાથ શિંદેની નજીકના છે. જો કે, તેમના આ ટ્વિટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમણે પાર્ટીના ચીફ વ્હીપની જવાબદારી ભરત ગોગાવાલેને આપી દીધી છે. સાથે જ તેમના તરફથી આપવામાં આવેલી નિમણૂંક જ માન્ય છે. કારણ કે, તેમની પાસે વધારે ધારાસભ્ય છે. આવા સમયે એ સ્પષ્ટ થઈ જાય છે કે, એકનાથ શિંદેની શિવસેના જોરનો ઝટકો આપશે અને જો ધારાસભ્ય તોડીને અલગ થઈ જાય છે, તો તે ખુદ શિવસેનાના નેતા હોવાનો દાવો ઠોકી શકે છે.