જમ્મુ કાશ્મીરને આતંક અને આતંકવાદથી મુક્ત કરાવવા માટે સુરક્ષાદળો સતત ઓપરેશન ઓલઆઉટ અભિયાન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત 5 દિવસમાં 10 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
5 દિવસમાં 4 સફળ ઓપરેશન, 10 આતંકીને માર્યા ઠાર
ચાલુ વર્ષે 75 ઓપરેશન, 180 આતંકી ઠાર
માર્ગ ભટકેલા 26 યુવકોને પાછા વાળ્યા
ઓપરેશનમાં સેનાને પણ નુકસાન, પોલીસના 19 જવાન શહીદ
જમ્મૂ-કશ્મીરમાં 5 દિવસમાં 4 સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. સેનાએ 5 દિવસમાં 10 આતંકવાદીને ઠાર કર્યા છે. પોલીસના મહાનિદેશક દિલબાગસિંહે જણાવ્યું કે, ચાલુ વર્ષે 75 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં 180 આતંકીને ઠાર કરવામાં આવ્યા છે.
જેમાંથી 8 ઓપરેશન તો માત્ર શ્રીનગરમાં જ કરવામાં આવ્યા છે. શ્રીનગરમાં ચાલુ વર્ષે 18 આતંકીને ઠાર કરાયા છે. જ્યારે 26 જેટલા માર્ગ ભટકેલા યુવકોને પાછા વાળવામાં પણ સફળતા મળી છે.
જોકે આ ઓપરેશન દરમિયાન ચાલુ વર્ષે જમ્મૂ-કશ્મીર પોલીસના 19 જવાન શહીદ થયા છે. જેમાં CRPFના 21 અને સેનાના 15 જવાન શહીદ થયા છે.