ભારતમાં લગભગ કોરોના સંક્રમણના 90 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. કોરોનાના દર્દીની વધતી સંખ્યાની સાથે ગંભીર સંક્રમિતોને માટે આઈસીયૂ બેડની વ્યવસ્થા પણ એક મોટી ચેલેન્જ બની રહ્યું છે. મળતા આંકડાના આધારે દાવો કરાય છે કે ઓક્ટોબર મહિનામાં ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ભારત અમેરિકાને પણ પાછળ છોડી દેશે. આ સમયે સરકારનું કહેવું છે કે કોરોનાના 92 ટકા કેસ સામાન્ય લક્ષણો વાળા છે.
ભારતમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
દર્દીઓને આઈસીયૂમાં બેડ લેવામાં પડે છે મુશ્કેલી
ઓક્ટોબરમાં અમેરિકાથી વધુ કેસ ભારતમાં હશે
92 ટકા લોકોમાં કોરોનાના સામાન્ય લક્ષણો
શું કહે છે સરકારી આંકડા
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સચિવ રાજેશ ભૂષણનું કહેવું છે કે ફક્ત 6 ટકા કોરોના રોગીને હોસ્પિટલમાં ઓક્સીજનની જરૂર પડે છે. તેમાંથી 3.6 ટકા દર્દીઓને ફક્ત ઓક્સીજનની જરૂર છે અને અન્ય 2.17 ટકાને આઈસીયૂમાં બેડની જરૂર હોય છે.
દેશના સર્વેમાં સામે આવી આ ચોંકાવનારી વાત
લોકસ સર્કલ દ્વારા કરાયેલા સર્વેમામં દર્દીને આઈસીયૂ બેડ મેળવવા માટે ભલામણની જરૂર પડે છે.દેશના 211 જિલ્લામાં કરાયેલા એક સર્વે અનુસાર 37 ટકા લોકોએ માન્યું કે આઈસીયૂ બેડ માટે તેઓને કોન્ટેક્ટનો ઉપયોગ કરવો પડ્યો છે. આ સર્વેમાં લગભગ 17 હજાર લોકોને પૂછવામાં આવ્યું હતું. 7 ટકાએ કહ્યું કે આઈસીયૂ બેડ માટે લાગવગની જરૂર પડી હતી. 7 ટકાએ કહ્યું કે આઈસીયૂમાં બેડ માટે લાંચ આપી હતી. આ સર્વેમાં 4 ટકા લોકોનું કહેવું છે કે તેમને સરળતાથી આ બેડ મળી ગયો હતો.
92 ટકા લોકોનું માનવું છે કે આઈસીયૂમાં બેડ વધારવા જોઈએ
કેટલાક લોકોએ કહ્યું કે તેઓને બેડ મેળવવા માટે સોશ્યલ મીડિયાની મદદ લેવી પડી હતી. 92 ટકા લોકોનું માનવું છે કે આઈસીયૂમાં બેડની સંખ્યા વધારવી જોઈએ. કેટલાકે કહ્યું કે દિલ્હી સરકારના એપ દિલ્હી કોરોના પર તો આઈસીયૂમાં બેડ બતાવે છે પણ હોસ્પિટલ જઈએ તો બેડ મળતો નથી. દિલ્હી સરકારનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં 500 બેડ વધારાયા છે.